Sunday, January 25, 2026

જો તમારી સોસાયટીમાં કચરાની ગાડી ન આવે તો કોન્ટ્રાક્ટરને ફક્ત 5 રૂપિયાનો દંડ!

spot_img
Share

અમદાવાદ : શહેરના તમામ વિસ્તારોની સોસાયટીઓ અને ચાલીઓમાંથી ઘનકચરો એકત્ર કરવાની કામગીરી કરતાં મોટા વગદાર કોન્ટ્રાક્ટરોની ગાડી કોઇ એક સોસાયટી કે ચાલીમાં ન જાય તો ફક્ત પાંચ રૂપિયા દંડ વસૂલ કરવાની જોગવાઇ સાંભળીને મ્યુનિ.કમિશનર પણ ચોંકી ઊઠ્યા હતા અને સોસાયટીને બદલે મકાન દીઠ દંડ વસૂલ કરવાની તાકીદ કર્યા બાદ આખરે ડોર ટુ ડોરની ગાડી જે તે સોસાયટી કે ચાલીમાં ન જાય તો મકાન દીઠ બે રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.

નવગુજરાત સમયના રિપોર્ટ અનુસાર, કમિશનર એમ.થેન્નારસને તાજેતરમાં અધિકારીઓ સાથેની બેઠકમાં શહેરમાં સફાઇની જવાબદારી સંભાળતાં સોલિડ વેસ્ટ ખાતાની કામગીરીની સમીક્ષા દરમિયાન સોસાયટી-ચાલીમાં જઇ કચરો એકત્ર કરતી ગાડીઓ નિયમિત અને સમયસર ન આવતી હોવાની ફરિયાદો વ્યાપક બની હોવાનો ઉલ્લેખ કરતાં કચરાની ગાડીઓ માટે શું સિસ્ટમ છે તેની પૃચ્છા કરી હતી. જેમાં સોલિડ વેસ્ટ ખાતાના અધિકારીએ સોસાયટી-ચાલીને એક જગ્યા ગણવામાં આવે છે અને ત્યાં ફેરો ના થાય તો પાંચ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે તેવી સ્પષ્ટતા કરતા કમિશનર આશ્ચર્યચક્તિ થઇ ગયાં હતા.

આ સાંભળી કમિશનરે એક સોસાયટીને એક પોઇન્ટ ગણવાની સિસ્ટમને ખોટી ગણાવતાં કહ્યું કે, એક સોસાયટી દીઠ પોઇન્ટ ગણવાને બદલે મકાનો દીઠ પોઇન્ટ ગણવા જોઇએ અને તે પ્રમાણે પેનલ્ટી વસૂલ થવી જોઇએ. તેની સામે એવી દલીલ થઇ હતી કે, ટેન્ડરમાં એ પ્રમાણેની જોગવાઇ નથી. આ સાંભળી કમિશનરે ટેન્ડરની જોગવાઇને બાજુ મૂકી મકાન દીઠ પેનલ્ટી વસૂલ કરવાની તાકીદ કરી હતી.

મ્યુનિ. સૂત્રોએ કહ્યું કે, આ બેઠકમાં આમ તો મકાન દીઠ પાંચ રૂપિયા અને પોઇન્ટ દીઠ પાંચ એ પ્રકારે પેનલ્ટી વસૂલ કરવાની વાત થઇ હતી, પરંતુ કોઇ અકળ કારણોસર અને ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો હવે મોટા ગજાના અને ગાંધીનગર સુધી વગ ધરાવતાં થઇ ગયાં હોવાથી તેમની પાસેથી મકાન દીઠ બે રૂપિયા પેનલ્ટી તથા પોઇન્ટ દીઠ પાંચ રૂપિયા પેનલ્ટી વસૂલ કરવાનુ નક્કી થયું છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉના 766 તથા તાજેતરમાં વધારેલાં બીજા 325 વાહન મળી 1091 વાહનોમાં જીપીએસ લગાવાયા છે તેમજ સાત ઝોનમાં 21 હજાર પોઇન્ટ હતા તેમાં બીજા 10 હજારનો વધારો કરીને 31 હજાર પોઇન્ટ ખાતેથી કચરો એકત્ર કરવામાં આવે તે માટે બે શિફ્ટમાં સઘન દેખરેખ રાખવામાં આવશે. તેનાથી જે કોઇ ઝોનમાં કચરાની ગાડી સોસાયટી-ચાલીમાં ન જાય તો કંટ્રોલરૂમમાં ખબર પડશે અને તેના આધારે કમ્પ્યુટરાઇઝ રિપોર્ટ તૈયાર કરવામાં ‌આવશે અને તે પ્રમાણે પેનલ્ટી વસૂલ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...