Sunday, April 26, 2026

જો તમારી સોસાયટીમાં કચરાની ગાડી ન આવે તો કોન્ટ્રાક્ટરને ફક્ત 5 રૂપિયાનો દંડ!

spot_img
Share

અમદાવાદ : શહેરના તમામ વિસ્તારોની સોસાયટીઓ અને ચાલીઓમાંથી ઘનકચરો એકત્ર કરવાની કામગીરી કરતાં મોટા વગદાર કોન્ટ્રાક્ટરોની ગાડી કોઇ એક સોસાયટી કે ચાલીમાં ન જાય તો ફક્ત પાંચ રૂપિયા દંડ વસૂલ કરવાની જોગવાઇ સાંભળીને મ્યુનિ.કમિશનર પણ ચોંકી ઊઠ્યા હતા અને સોસાયટીને બદલે મકાન દીઠ દંડ વસૂલ કરવાની તાકીદ કર્યા બાદ આખરે ડોર ટુ ડોરની ગાડી જે તે સોસાયટી કે ચાલીમાં ન જાય તો મકાન દીઠ બે રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.

નવગુજરાત સમયના રિપોર્ટ અનુસાર, કમિશનર એમ.થેન્નારસને તાજેતરમાં અધિકારીઓ સાથેની બેઠકમાં શહેરમાં સફાઇની જવાબદારી સંભાળતાં સોલિડ વેસ્ટ ખાતાની કામગીરીની સમીક્ષા દરમિયાન સોસાયટી-ચાલીમાં જઇ કચરો એકત્ર કરતી ગાડીઓ નિયમિત અને સમયસર ન આવતી હોવાની ફરિયાદો વ્યાપક બની હોવાનો ઉલ્લેખ કરતાં કચરાની ગાડીઓ માટે શું સિસ્ટમ છે તેની પૃચ્છા કરી હતી. જેમાં સોલિડ વેસ્ટ ખાતાના અધિકારીએ સોસાયટી-ચાલીને એક જગ્યા ગણવામાં આવે છે અને ત્યાં ફેરો ના થાય તો પાંચ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે તેવી સ્પષ્ટતા કરતા કમિશનર આશ્ચર્યચક્તિ થઇ ગયાં હતા.

આ સાંભળી કમિશનરે એક સોસાયટીને એક પોઇન્ટ ગણવાની સિસ્ટમને ખોટી ગણાવતાં કહ્યું કે, એક સોસાયટી દીઠ પોઇન્ટ ગણવાને બદલે મકાનો દીઠ પોઇન્ટ ગણવા જોઇએ અને તે પ્રમાણે પેનલ્ટી વસૂલ થવી જોઇએ. તેની સામે એવી દલીલ થઇ હતી કે, ટેન્ડરમાં એ પ્રમાણેની જોગવાઇ નથી. આ સાંભળી કમિશનરે ટેન્ડરની જોગવાઇને બાજુ મૂકી મકાન દીઠ પેનલ્ટી વસૂલ કરવાની તાકીદ કરી હતી.

મ્યુનિ. સૂત્રોએ કહ્યું કે, આ બેઠકમાં આમ તો મકાન દીઠ પાંચ રૂપિયા અને પોઇન્ટ દીઠ પાંચ એ પ્રકારે પેનલ્ટી વસૂલ કરવાની વાત થઇ હતી, પરંતુ કોઇ અકળ કારણોસર અને ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો હવે મોટા ગજાના અને ગાંધીનગર સુધી વગ ધરાવતાં થઇ ગયાં હોવાથી તેમની પાસેથી મકાન દીઠ બે રૂપિયા પેનલ્ટી તથા પોઇન્ટ દીઠ પાંચ રૂપિયા પેનલ્ટી વસૂલ કરવાનુ નક્કી થયું છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉના 766 તથા તાજેતરમાં વધારેલાં બીજા 325 વાહન મળી 1091 વાહનોમાં જીપીએસ લગાવાયા છે તેમજ સાત ઝોનમાં 21 હજાર પોઇન્ટ હતા તેમાં બીજા 10 હજારનો વધારો કરીને 31 હજાર પોઇન્ટ ખાતેથી કચરો એકત્ર કરવામાં આવે તે માટે બે શિફ્ટમાં સઘન દેખરેખ રાખવામાં આવશે. તેનાથી જે કોઇ ઝોનમાં કચરાની ગાડી સોસાયટી-ચાલીમાં ન જાય તો કંટ્રોલરૂમમાં ખબર પડશે અને તેના આધારે કમ્પ્યુટરાઇઝ રિપોર્ટ તૈયાર કરવામાં ‌આવશે અને તે પ્રમાણે પેનલ્ટી વસૂલ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...