અમદાવાદ : ગરબા અને ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં નવરાત્રી અને વર્લ્ડ કપ દરમિયાન વરસાદ નહીં પડે અને વરસાદની શક્યતા નહીંવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે, એટલે કે કારણ કે, આગામી બે દિવસમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની શક્યતા નથી. મોટાભાગના શહેરોમાં 35થી 36 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યના મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. અને આગામી બે દિવસમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. એટલે કે, ઓક્ટોબર મહિનામાં વાતાવરણ સામાન્ય રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.
ઉલ્લેખનીય છે કે, 15 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઇ રહી છે અને તે પહેલા 5 ઓક્ટોબર અને 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચ પણ રમાવાની છે. તેથી હવે નવરાત્રી અને વર્લ્ડ કપની મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા નહીંવત છે.


