Thursday, January 15, 2026

અમદાવાદ પોલીસની નવરાત્રીને લઈને ખાસ સૂચનાઓ, તમામ આયોજકે આ નિયમોનું પાલન કરવું પડશે

spot_img
Share

અમદાવાદ : નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરીજનો શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી મનાવી શકે તે પોલીસ સજ્જ થઈ ગઈ છે. જો કે, આ સાથે આયોજકો માટે પણ પોલીસે કેટલાક સૂચનો જણાવ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનર ટૂંક સમયમાં નવરાત્રીને લઇને જાહેરનામું બહાર પાડશે. જે જાહેરનામામાં અનેક સૂચનો પોલીસ દ્વારા આપવામાં આવશે.

નવલી નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે ત્યારે અમદાવાદ પોલીસની નવરાત્રીની તૈયારીઓ બાબતે અમદાવાદ પોલીસ કંટ્રોલના ડીસીપી કોમલ વ્યાસે મીડિયા ને માહિતી આપતા જણાવ્યું હતું અત્યાર સુધીમાં 47 અરજીઓ પોલીસ પાસે આવી છે, જેમાં પરવાનગી આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસની આયોજકોને સૂચના

1. જાહેરમાં લાઉસ્પીકર વગાડવાની માન્યતા 12 વાગ્યા સુધી આપવામાં આવી
2. ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફિક નો પ્રશ્ન ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે
3. ગરબા વેન્યુ પર આયોજકોને CCTV રાખવાની સૂચના, CCTV કંટ્રોલ રૂમ તૈયાર કરવાની સૂચના
4. પાર્કિંગ સ્થળ ગરબા ગ્રાઉન્ડ થી 100 મીટર દૂર રાખવાની સૂચના
5. હાર્ટ એટેકના કિસ્સામાં આવી ઘટના ના બને તે માટે તબીબી ટીમ તૈનાત રહે તે માટે CP દ્વારા સૂચના આપવામાં આવશે
6. લાઈટિંગ માટે સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી ના NOC લેવામાં આવે તેવી માંગ

મહિલાઓ માટે સી ટીમ સજ્જ
અમદાવાદના ડીસીપી કન્ટ્રોલ કોમલ વ્યાસે વધુમાં નિવેદન આપ્યું હતું કે ગરબાનો સમય પૂર્ણ થયા બાદ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મહિલા પણ તેના જ કરવામાં આવશે જ્યારે મહિલા પોલીસ ડ્રેસમાં નહીં પરંતુ સિવિલ ડ્રેસમાં ફરીને છેડતીની ઘટનાને રોકવાના તથા છેડતીની ઘટના ન બને તે માટે પણ ખાસ અમુક જગ્યા ઉપર ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે ઉપરાંત ગરબા પૂર્ણ થયા બાદ મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને ધ્યાનમાં લઈને પણ ટ્રાફિક પોલીસને જવાનોને પણ ખડે પગે રાખવામાં આવશે,આમ યુવતીઓ સુરક્ષા માટે ખાસ સી ટીમ તૈયાર રાખવામાં આવશે.

પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન કડક બંદોબસ્ત

બ્રિથ એનલાઈઝર, બોડીવોર્ન કેમેરા સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
તમામ પાર્ટીપ્લોટ પર ખાનગી કપડામાં પોલીસ કર્મીઓ તૈનાત રહેશે
રોમીયોગીરી કરનાર તથા સ્ટંટ બાજી કરનારા લોકો માટે પણ પોલીસ પોઈન્ટ ગોઠવી કાર્યવાહી કરશે
ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓને પોઈન્ટ ફાળવવામાં આવશે.
આયોજનો દ્વારા કરવામાં આવેલી અરજીમાં પોલીસ દ્વારા આ તમામ પોઈન્ટોની ચકાસણી કર્યા બાદ જ તેમને પરમિશન અપાશે
કોઈ પણ પ્રકારની ગેરરીતી જણાશે તો પરમિશન કેન્સલ કરી દેવાશે
સોશિયલ મિડીયા પર અફવાઓ ન ફેલાય તે માટે વોચ રખાશે
બીડીડીએસની ટીમો રાખવામાં આવશે
નશીલા પદાર્થોનો ઉપયોગ ન થાય તે માટે બ્રિથ એનલાઈઝર, બોડીવોર્ન કેમેરા સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...