Saturday, January 17, 2026

અમદાવાદ પોલીસની મેગા ડ્રાઈવ, 200 થી વધુ સ્પા અને મસાજ પાર્લરમાં દરોડા, પોલીસની 30 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

spot_img
Share

અમદાવાદ : શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની અલગ-અલગ 30 ટીમ દ્વારા સ્પામાં ચેકિંગ હાથ ધરાયું હતું. અમદાવાદના 215 થી વધુ સ્પા અને મસાજ પાર્લરમાં દરોડા પડવામાં આવ્યા હતું. 24 જેટલા સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસના અચાનક ચેકિંગથી સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લર પર ગેરકાયદે પ્રવુતિઓ અટકાવવા એક મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનો, મહિલા પોલીસ સ્ટેશનો અને એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ અલગ-અલગ 30 ટીમ દ્વારા 215 થી વધુ સ્પા અને મસાજ પાર્લરમાં દરોડા પડવામાં આવ્યા હતા.મીડિયા રિપોર્ટ મુજબ 24 જેટલા સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા પોલીસને સાથે રાખી શહેરના અલગ અલગ સ્પા સેન્ટરો પર પોલીસે તપાસ હાથ ધરી હતી.મોડી રાત્રે પોલીસની ટીમ ત્રાટકી હતી અને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અગાઉ આનંદનગર પોલીસ દ્વારા મસાજ પાર્લર પર દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. થોડા સમય પહેલા સિંધુભવન રોડનો એક વીડયો વાયરલ થયો હતો જેમાં સ્પામાં કામ કરતી યુવતીને ઢોર માર મરવામાં આવ્યો હતો. જેને લઈ પોલીસ હવે એક્શનમાં આવી છે. મહિલા પોલીસને સાથે રાખી શહેરના અલગ અલગ સ્પા સેન્ટરો પર પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...