Thursday, January 22, 2026

ઘરઘાટી રાખતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, સાયન્સ સિટી રોડ પર ડોક્ટરના ઘરમાંથી ઘરઘાટી 7 લાખની ચોરી કરી ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ડોક્ટરના ઘરે ઘરઘાટીએ 7.5 લાખની ચોરી કરી છે. થોડા દિવસ અગાઉ જ નોકરી પર રાખેલા ઘરઘાટીએ મકાનમાં રોકડ રકમની ચોરી કરી છે. ચોરી કર્યા બાદ પિતા વતનમાં બીમાર હોવાનું માલિકને કહીને જતો રહ્યો હતો. થોડા સમય બાદ બેડરૂમના ડ્રોવરમાં જોતા પૈસાની ચોરી થઈ હોવાની જાણ થતાં માલિકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સાયન્સ સિટી રોડ પર રહેતા સુકુમાર મહેતા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ગત સપ્ટેમ્બર માસમાં તેમણે ઘરઘાટી તરીકે રમેશ નામના વ્યક્તિને કામે રાખ્યો હતો. જે ઘરમાં કચરાપોતું તથા વાસણનું કામ કરતો હતો. ગત તારીખ 25મી સપ્ટેમ્બરે જે દિવસે રમેશને નોકરીએ રાખ્યો તે જ દિવસે ડો.સુકુમારે તેમના બેડરૂમના ડ્રોઅરમાં રોકડા 7.50 લાખ રૂપિયા મૂકીને ડ્રોઅર લોક કરીને ચાવી ડિજિટલ સેફ લોકરમાં મૂકી હતી.

શનિવારે તેમને પૈસાની જરૂર પડતા તેમણે ડ્રોઅર ખોલીને જોયું તો તેમાંથી પૈસા ગાયબ હતા.જેથી તેમણે તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું હતુ કે, તેમના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતો રમેશ નામનો વ્યક્તિ ઘરમાંથી 7.50 લાખની રોકડ ચોરીને ફરાર થઈ ગયો હતો. જેથી આ મામલે ડો.સુકુમારે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...