અમદાવાદ : નવલી નવરાત્રિ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. આ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકાશે. ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકાશે. આ જાહેરનામાનો અમલવારીનો સમય તા-15-10-23 સમય- 00-00 થી તા-24-10-23 સમય-24-00 સુધી અમલમાં રહેશે.


