Tuesday, March 17, 2026

અમદાવાદની આ હાઈપ્રોફાઈલ સ્કૂલમાં RTE હેઠળ એડમિશન લેવા વાલીઓનો પેંતરો, થશે આ કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : RTE હેઠળ એડમિશન લેનાર વાલીઓ પૈકી અમદાવાદની 4 હાઈપ્રોફાઈલ સ્કૂલમાં 308 વાલીઓ દ્વારા આવકના દાખલામાં દર્શાવેલી આવક કરતાં વધુ આવક હોવા છતાં ખોટી રીતે એડમિશન મેળવ્યું હોવાના પૂરાવા સ્કૂલોએ DEO કચેરીએ આપ્યા છે. આગામી સમયમાં તમામ વાલીઓને બોલાવીને DEO દ્વારા સુનાવણી કરવામાં આવશે. જો સુનાવણી દરમ્યાન વાલીઓ ખોટા સાબિત થશે તો ચાલુ વર્ષના અંત સુધીમાં RTE હેઠળ મેળવેલું એડમિશન રદ કરાશે. જોકે, સ્કૂલો દ્વારા પણ સત્ર શરૂ થયાના 4 મહિના બાદ તપાસ કરવામાં આવી છે.

RTE હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. તે માટે આવકનું પ્રમાણપત્ર સહિત અલગ અલગ દસ્તાવેજો જરુરી હોય છે. પરંતુ ઘણીવાર વાલીઓ આવકના દાખલાનું પ્રમાણ પત્ર ખોટી રીતે મેળવી લેતા હોય છે અને તેના આધારે RTE હેઠળ પ્રવેશ પણ મેળવી લેતા હોય છે. જેના કારણે આ વખતે આવકના દાખલા ઉપરાંત ઈન્કમટેક્સ રિટર્ન, પાસબુક, બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવાઓ પણ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક વાલીઓએ બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવી લીધો હોવાનું સામે આવ્યું છે.

સ્કૂલો દ્વારા થયેલી તપાસમાં 308 વિદ્યાર્થીના વાલીઓએ આવક કરતા ઓછી આવકના દાખલાના આધારે એડમિશન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ દ્વારા વાલીઓના આઈટી રિટર્ન DEO કચેરીને આપવામાં આવ્યા છે. DEO દ્વારા તમામ વાલીઓને બોલાવીને સુનાવણી કરવામાં આવશે, જેમાં વાલીની રજૂઆત પણ સંભાળવામાં આવશે. અમદાવાદ શહેરની ઉદગમ, ઝેબર, આનંદ નિકેતન અને ગ્લોબલ ઈન્ડિયા સ્કૂલ દ્વારા સ્કૂલમાં RTE હેઠળ એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓના ડોક્યુમેન્ટની ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી.

આ અંગે અમદાવાદ DEO રોહિત ચૌધરીએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં ચાર અલગ અલગ સ્કૂલોએ વાલીઓના IT રીટર્ન અમને આપ્યાં છે. જેમાં વાલીની આવક આવકના દાખલા કરતાં વધુ છે. અમે તમામ વાલીઓને રૂબરૂ બોલાવીને સુનાવણી કરીશું. વાલી ખોટા હશે તો વર્ષના અંત સુધીમાં RTE હેઠળથી એડમિશન રદ કરાશે. સ્કૂલ સંચાલક ઈચ્છે તો વાલી પર પોલીસ પ્રક્રિયા પણ કરી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...