Thursday, January 22, 2026

અમદાવાદની આ હાઈપ્રોફાઈલ સ્કૂલમાં RTE હેઠળ એડમિશન લેવા વાલીઓનો પેંતરો, થશે આ કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : RTE હેઠળ એડમિશન લેનાર વાલીઓ પૈકી અમદાવાદની 4 હાઈપ્રોફાઈલ સ્કૂલમાં 308 વાલીઓ દ્વારા આવકના દાખલામાં દર્શાવેલી આવક કરતાં વધુ આવક હોવા છતાં ખોટી રીતે એડમિશન મેળવ્યું હોવાના પૂરાવા સ્કૂલોએ DEO કચેરીએ આપ્યા છે. આગામી સમયમાં તમામ વાલીઓને બોલાવીને DEO દ્વારા સુનાવણી કરવામાં આવશે. જો સુનાવણી દરમ્યાન વાલીઓ ખોટા સાબિત થશે તો ચાલુ વર્ષના અંત સુધીમાં RTE હેઠળ મેળવેલું એડમિશન રદ કરાશે. જોકે, સ્કૂલો દ્વારા પણ સત્ર શરૂ થયાના 4 મહિના બાદ તપાસ કરવામાં આવી છે.

RTE હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. તે માટે આવકનું પ્રમાણપત્ર સહિત અલગ અલગ દસ્તાવેજો જરુરી હોય છે. પરંતુ ઘણીવાર વાલીઓ આવકના દાખલાનું પ્રમાણ પત્ર ખોટી રીતે મેળવી લેતા હોય છે અને તેના આધારે RTE હેઠળ પ્રવેશ પણ મેળવી લેતા હોય છે. જેના કારણે આ વખતે આવકના દાખલા ઉપરાંત ઈન્કમટેક્સ રિટર્ન, પાસબુક, બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવાઓ પણ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક વાલીઓએ બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવી લીધો હોવાનું સામે આવ્યું છે.

સ્કૂલો દ્વારા થયેલી તપાસમાં 308 વિદ્યાર્થીના વાલીઓએ આવક કરતા ઓછી આવકના દાખલાના આધારે એડમિશન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ દ્વારા વાલીઓના આઈટી રિટર્ન DEO કચેરીને આપવામાં આવ્યા છે. DEO દ્વારા તમામ વાલીઓને બોલાવીને સુનાવણી કરવામાં આવશે, જેમાં વાલીની રજૂઆત પણ સંભાળવામાં આવશે. અમદાવાદ શહેરની ઉદગમ, ઝેબર, આનંદ નિકેતન અને ગ્લોબલ ઈન્ડિયા સ્કૂલ દ્વારા સ્કૂલમાં RTE હેઠળ એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓના ડોક્યુમેન્ટની ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી.

આ અંગે અમદાવાદ DEO રોહિત ચૌધરીએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં ચાર અલગ અલગ સ્કૂલોએ વાલીઓના IT રીટર્ન અમને આપ્યાં છે. જેમાં વાલીની આવક આવકના દાખલા કરતાં વધુ છે. અમે તમામ વાલીઓને રૂબરૂ બોલાવીને સુનાવણી કરીશું. વાલી ખોટા હશે તો વર્ષના અંત સુધીમાં RTE હેઠળથી એડમિશન રદ કરાશે. સ્કૂલ સંચાલક ઈચ્છે તો વાલી પર પોલીસ પ્રક્રિયા પણ કરી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...