Saturday, January 24, 2026

Ind Vs Pak મેચની ટિકિટ સોશિયલ મીડિયા થકી ટિકિટ ખરીદી છે ? આ રીતે ચકાસો અસલી અને નકલી ટિકિટ

spot_img
Share

અમદાવાદ : 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં Ind Vs Pak વચ્ચે મેચ રમાવાની છે, જેની લોકો ઘણા સમયથી ટિકિટો મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે તેવામાં જે લોકોને ટિકિટ મળી ગઈ છે તેમને પણ તે ટિકિટ અસલી છે કે નહીં તે ચેક કરવું પડશે. કારણકે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાલમાં જ Ind Vs Pakની મેચની નકલી ટિકિટ વેચતા ચાર ભેજાબાજોની ધરપકડ કરી છે, જેમણે અસલી ટિકિટ પરથી બિલકુલ તેના જેવી જ દેખાતી નકલી ટિકિટો તૈયાર કરી હતી તેમજ સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહક શોધીને આ ટિકિટનું વેચાણ પણ કર્યું હતું. ત્યારે તમે પણ જો સોશિયલ મીડિયા થકી ટિકિટો ખરીદી હોય તો જાણો કે તમે ખરીદ કરેલી ટિકિટ અસલી છે કે નકલી.

હાલમાં Ind Vs Pak મેચની ટિકિટની ખુબજ સોર્ટેજ જોવા મળી રહી છે. લોકો ઓનલાઈન અલગ અલગ માધ્યમો થતી ટિકિટ ખરીદવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ ટિકિટ નથી મળી રહી ત્યારે હવે આ ટિકિટની લાભ લઈને અમુક લોકો ક્રિકેટ પ્રેમીઓને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો પર ડુપ્લીકેટ ટિકિટ અથવા તો ઓરીજનલ ટિકિટનો ફોટો બતાવી લોકો પાસેથી પૈસા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જોકે બદનામીના ડરથી લોકો પોતે છેતરાયા હોવાની ફરિયાદ પોલીસને નથી કરી રહ્યા.

જો આપે પણ સોશિયલ મીડિયા થકી ટિકિટ ખરીદી છે તો તમે પણ આવા લોકોનો શિકાર નથી બન્યા ને ? શું તમારી પણ ટિકિટ ખોટી કે ડુપ્લીકેટ નથી ? તમે મેળવેલી ટિકિટ કઈ રીતે ચકાસશો એ અમે તમને બતાવશું.

ઓરીજનલ અને ડુપ્લીકેટ ટિકિટ કઈ રીતે ચકાસશો
સામાન્ય રીતે ઓરીજનલ ટિકિટમાં એવા ચાર મુદ્દાઓ છે કે જેને થકી આપણે ડુપ્લીકેટ કે ઓરિજિનલ ટિકિટ છે કે કેમ તેની ચકાસણી કરી શકશું.

ડાયનેમિક કલર-ઇન્ફ્યુઝ્ડ પેપર
ઑરીજનલ ટિકિટમાં ડાયનેમિક કલર-ઇન્ફ્યુઝ્ડ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરિજનલ ટિકિટ થોડીક ફાડવામાં આવે અથવા ચેડાં કરવામાં આવે ત્યારે એક અલગ ગુલાબી રંગનું લેયર દેખાઈ છે જે ડુપ્લીકેટમાં નથી હોતું.

ટેમ્પર-એવિડન્ટ વોઈડ ઈન્ડીકેટર
એરિજનલ ટિકિટની ઝેરોક્ષ કરવામાં આવે ત્યારે તે ઝેરોક્ષ માં વોઇડ લખાઈ ને આવે છે જેના કારણે ઓરીજનલ અને ડુપ્લીકેટ ઓળખ થઈ શકે છે.

માઇક્રોસ્કોપિક સિક્યોરિટી લેન
માઇક્રોસ્કોપિક સિક્યોરિટી લેન સમજદારીપૂર્વક સંકલિત કરવામાં આવ્યું છે, જેને ફક્ત મેગનીફાઈન લેન્સ દ્વારા જ જોઈ શકાય છે. જે ડુપ્લીકેટ ટિકિટમાં જોવા મળતું નથી.

બારકોડ
દરેક ઓરીજનલ ટિકિટમાં પોતાનો અલગ બરકોડ આપવામાં આવ્યો છે જે દરેક ટિકિટમાં અલગ અલગ આપવામાં આવ્યો છે. જે બારકોડ એન્ટ્રી ગેટ પર સ્કેન કરી પ્રવેશ આપવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...