Saturday, November 8, 2025

અમદાવાદમાં શિવરાત્રીના દિવસે માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે, શોભાયાત્રામાં પાદુકા મૂકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરની સ્થાપનાના 614 વર્ષ બાદ નગરયાત્રાએ નીકળવાના છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે અમદાવાદનો સ્થાપના દિવસ છે, ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા યોજાશે. માતાજીની ચરણ પાદુકા રથમાં મૂકવામાં આવશે. સવારે 7:30 વાગ્યે નગરયાત્રા નીકળશે. મનપા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

અમદાવાદના મેયર પ્રતિભા જૈનએ જણાવ્યું હતું કે, નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળવાની છે, જેમાં દરેક રૂટ પર ભવ્ય સ્વાગત કરાશે. અનેક સાધુ-સંતો આ યાત્રામાં હાજર રહેશે. યાત્રામાં અખાડા, ટેબલો, ભજનમંડલી સહિતના નગરજનો જોડાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. યાત્રાના રૂટ પર વિશેષ તૈયારીઓ કરાશે. હોર્ડિંગ, બેનર વગેરે લગાવવામાં આવશે. માતાજીની આ યાત્રામાં ચરણપાદુકા અમદાવાદના કોટ વિસ્તારમાં ફરશે.

614 વર્ષ બાદ પહેલીવાર આ નગરદેવીની યાત્રા નીકળશે. ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા, માલપુર દરવાજા થઈને જગન્નાથ મંદિર જશે. જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના કિનારે ગાયકવાડ હવેલી થી મહાલક્ષ્મી મંદિર થઈને લાલ દરવાજા ઘર થઈને નિજ મંદિરે પરત ફરશે. ત્રણ દરવાજા પાસે માતાજીની આરતી થશે. માણેક બુરજ ખાતે માતાજીનું સ્વાગત અને આરતી કરાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિ. ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પહોંચશે. રૂટ ઉપર થોડાથોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રા નિજમંદિર પહોંચ્યા બાદ હવન થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...