અમદાવાદ : નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓમાં નવરાત્રીના પર્વ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે હવામાન વિભાગની નવી આગાહીથી ખેલૈયાઓ ચિંતિત થઈ ગયા છે. રાજ્યમાં આગામી સમયે નવરાત્રી દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરે છે. પહેલા અને બીજા નોરતે ખેલૈયાઓ માટે વરસાદ વિલન બને તેવી શક્યતા છે. ખાસ તો ભારત-પાકિસ્તાનની મેચ છે તે 14 ઓક્ટોબરના દિવસે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે નવરાત્રીના પ્રથમ બે દિવસ વરસાદ રહે તેવી શક્યતા દર્શાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં 14થી 17 ઓક્ટોબર સુધી જુદા જુદા જિલ્લાઓમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે.નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. નવરાત્રીમાં એમાંય ખાસ કરીને પહેલા અને બીજા નોતરે એટલે કે 15 અને 16 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દમણમાં વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી આ આગાહી ભારત-પાકિસ્તાનની મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટ રસીકો તથા ગરબા રમવા માટે આતુર ખેલૈયાઓ બંનેની મજા બગાડી શકે છે. ખાસ છે કે, રાજ્યમાં જુદા જુદા સ્થળો પર નવરાત્રી દરમિયાન 9 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે.