અમદાવાદ : IND vs PAK વચ્ચેની મેચ હોય ત્યારે લોકોનો ઉત્સાહ આસમાને જ હોય છે. સ્ટેડિયમ પણ વર્ષો જુની પરંપરા મુજબ ખીચોખીચ ભરાઈ જતું હોય છે. તેમાં પણ આ વખતે તો તો મેચ અમદાવાદમાં રમાઈ રહી છે અને તે પણ વર્લ્ડ કપની મેચ. એટલે ક્રિકેટ રસીકોનો આનંદ બેવડાયો છે.
BCCIએ જાહેરાત કરી છે કે સિંગર અરિજીત સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી ધમાલ મચાવશે. આ ખાસ સેરેમની બપોરે 12.30 કલાકે શરુ થશે. અમિત શાહ, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને રજનીકાંત સહિતના સ્ટાર્સ પણ આ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચશે. સેરેમની પહેલા સવારે 10 વાગ્યાથી દર્શકોને પ્રવેશ આપવામાં આવશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BCCI ક્રિકેટ વર્લ્ડ કપની IND vs PAKની મેચ દરમ્યાન મેચ નિહાળવા આવનાર ટિકિટ ધારક પ્રેક્ષકોને શું શુ વસ્તું સ્ટેડિયમની અંદર લઈ જવા દેવામાં આવશે તેની વિગતો સામે આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલી નક્કી કરાયેલી વસ્તુઓ જ સ્ટેડિયમની અંદર લઈ જવા દેવામાં આવશે.
IND vs PAK મેચ જોવા જનારાઓ જાણી લો
1. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે 10.00 કલાકથી પ્રવેશ આપવામાં આવશે
2. બપોરે 12.30 કલાકે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે
૩. પ્રેક્ષકો માત્ર પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરુરી દવા મેચ દરમ્યાન સાથે રાખી શકશે
4. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સંસ્થાએ નિ:શુલ્ક પાણીની તથા મેડીકલની સુવિધા કરેલ છે
તે સિવાય ની કોઈ પણ વસ્તુ મેચ દરમ્યાન સાથે રાખી શકાશે નહીં


