અમદાવાદ : આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે.જે નવરાત્રી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં હાજર છે.જેઓ નવરાત્રીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.આ સાથે જ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ ધારાસભ્યના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આજે કુલ બે ધારાસભ્યોના કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. જેમાં સૌપ્રથમ નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.ત્યારબાદ દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈનના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નારણપુરામાં વિજયનગર ક્રોસિંગ પાસે ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના જનસંપર્ક કાર્યાલય અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈનનાજનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. તેમજ પ્રમુખો,મહામંત્રી, કાર્યકરો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ધારાસભ્ય જીતેન્દ્ર પટેલે તેમના કાર્યાલયથી લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે, સ્થાનિકોની સમસ્યાઓ ત્વરિત દૂર કરી શકાય છે. ફરિયાદોનું નિરાકરણ લાવી શકાય છે. લોકોની રજૂઆતો સાંભળી શકાય તેવી વિવિધ બાબતોથી સીધી રીતે લોકોને આ કાર્યાલયથી ફાયદો થશે તેવું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રી આવે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ હોય કે રાજ્યના કોઈના કોઈ કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે.ત્યારે આ વખતે પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નવરાત્રીને લગતા કાર્યક્રમો જાહેર કર્યા છે.જ્યાં તેઓ ગરબાના કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ માતાજીની આરતી પણ ઉતારશે.પહેલા નોરતે તેઓ માતાજીના આશીર્વાદ મેળવશે.


