Saturday, January 24, 2026

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે બે ધારાસભ્યોના જનસંપર્ક કાર્યાલય ઉદ્ઘાટન

spot_img
Share

અમદાવાદ : આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે.જે નવરાત્રી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં હાજર છે.જેઓ નવરાત્રીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.આ સાથે જ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ ધારાસભ્યના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આજે કુલ બે ધારાસભ્યોના કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. જેમાં સૌપ્રથમ નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.ત્યારબાદ દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈનના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નારણપુરામાં વિજયનગર ક્રોસિંગ પાસે ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના જનસંપર્ક કાર્યાલય અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈનનાજનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. તેમજ પ્રમુખો,મહામંત્રી, કાર્યકરો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ધારાસભ્ય જીતેન્દ્ર પટેલે તેમના કાર્યાલયથી લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે, સ્થાનિકોની સમસ્યાઓ ત્વરિત દૂર કરી શકાય છે. ફરિયાદોનું નિરાકરણ લાવી શકાય છે. લોકોની રજૂઆતો સાંભળી શકાય તેવી વિવિધ બાબતોથી સીધી રીતે લોકોને આ કાર્યાલયથી ફાયદો થશે તેવું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રી આવે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ હોય કે રાજ્યના કોઈના કોઈ કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે.ત્યારે આ વખતે પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નવરાત્રીને લગતા કાર્યક્રમો જાહેર કર્યા છે.જ્યાં તેઓ ગરબાના કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ માતાજીની આરતી પણ ઉતારશે.પહેલા નોરતે તેઓ માતાજીના આશીર્વાદ મેળવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...