અમદાવાદ : નવરાત્રિના તહેવાર પહેલા જ હાર્ટએટેક ખેલૈયાઓ માટે ખતરો બની રહ્યો છે. નવરાત્રિ પહેલા જ ગુજરાતમાં ગરબા સમયે અનેક લોકોને હાર્ટએટેક આવ્યો છે, અને કેટલાકનો જીવ ગયો છે. ત્યારે જો તમે ગરબા કરવા જવાના હોય તો હવે સાવચેતી રાખવાની જરૂર આવી ગઈ છે. આવુ પહેલા ક્યારેય નથી થયુ કે ગરબા રમતા સમયે ખેલૈયાઓને ડર હોય. પરંતુ આ વખતે હાર્ટએટેકથી ડરવાની જરૂર આવી ગઈ છે. આ નવરાત્રિથી હાર્ટએટેકથી સાવચેત રહેવાની જરૂર છે. પરંતુ ચાલુ ગરબામાં તમને અથવા તમારી આસપાસ કોઈને તકલીફ થાય તો સૌથી પહેલા શું કરવુ તેની સલાહ તબીબોએ આપી છે. ચાલુ ગરબામાં છાતીમાં દુખાવો ઉપડે કે ગભરામણ થાય તો સૌથી પહેલા આ કરજો.
ગરબા રમતા છાતીમાં દુખાવો થાય તો આટલું કરજો
આવા કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તેથી તબીબો સલાહ આપી રહ્યા છે કે, ગરબા રમતા સમયે છાતીમા દુખાવો થાય તો તેને અવગણશો નહિ. તરત જ સાઈડમાં નીકળી જજો અને આયોજકોની મદદથી તબીબી ટ્રીટમેન્ટ લઈ લેજો. તબીબી સલાહથી તાત્કાલિક સારવાર શરૂ કરાવો. છાતીમાં દુખાવો ઉપડે તો ગરબા રમવાનું ચાલુ ન રાખતા. બેચેની અનુભવાય તો તાત્કાલિક બેસી જાઓ. હલન-ચલન ન કરવું. આવા કિસ્સામાં છાતીના દુખાવાને અવગણશો નહિ.
નિયમિત કસરત ન કરનારા ગરબા રમવાનું ટાળો અથવા તો ધીમેથી ગરબા રમો. ધીમે ધીમે ગરબાની શરૂઆત કરો, પરંતું ઉછળકૂદ જેવા ગરબા ન રમો.
હળવો ખોરાક ખાઈને જ ગરબા રમવા માટે જવું. ભારે ખોરાક મુશ્કેલીમાં મૂકી શકે છે
નિયમિત કસરત ન કરારના લોકોએ ગરબા રમવાનું ટાળો. અથવા તો ગરબા રમવા હોય તો ધીમેથી ગરબા રમો.
ગરબા કરતા પહેલા પૂરતું પાણી પીને શરીરને હાઈડ્રેટ કરો. આ પૂર્વ સાવચેતી છે
જો ફિટ ન હોય તો વધુ ગરબા કે ફાસ્ટ ગરબા રમવાનુ ટાળો
એસિડિટી થઈ હોય તો વિચારીને ગરબા રમો.
ગરબા રમતા સમયે છયેલા છાતીના દુખાવાને અવગણશો નહિ. તાત્કાલિક તબીબ પાસે જાઓ
જો અનુકૂળતા હોય તો નવરાત્રિ પહેલા કાર્ડિયાક ચેકઅપ કરાવી લો. અથવા ટ્રેડમીલ ટેસ્ટ પણ કરાવી લેવો.
અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા.


