Wednesday, February 11, 2026

અમદાવાદના આ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા બાળકીનું મોત, ઘટનાને દબાવવાનો પ્રયાસ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટનાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં કામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા એક બાળકી અને મજૂર દટાયા હતા. આ ઘટનામાં બાળકીનું મોત નિપજ્યું છે જ્યારે મજૂર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. એચ.આર.કન્સ્ટ્રક્શન ગ્રૂપ દ્વારા બિલ્ડીંગ બનાવવામાં આવતું હતું,

પ્રાપ્ત વિગતો મુજબ આંબાવાડી વિસ્તારમાં એચ.આર ગ્રુપ કન્સ્ટ્રક્શન સાઈટ પર બેઝમેન્ટ પાર્કિંગનું કામ ચાલતું હતું ત્યારે અચાનક ભેખડ ધસી પડતા એક બાળકી અને મજૂર તેમાં દટાયા હતા. ઘટનાને પગલે અન્ય મજુરો તાત્કાલિક દોડી આવ્યા હતા. ઘટનામાં દટાયેલા લોકોને બચાવવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા. આ ઘટનામાં એક બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યયું હતુ. જ્યારે અન્ય મજુરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ એલીસબ્રિજ પોલીસને થતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાનો ઢાંક પીછોડો કરવા માટે સ્થાનિક પોલીસ તેમજ ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરાઈ ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બિલ્ડર દ્વારા આ ઘટનાને છુપાવવા માટે મજુર શ્રમિક પરિવારને બારોબાર હોસ્પિટલ લઈ જવાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...