Monday, January 19, 2026

અમદાવાદમાં 350 થી વધુ સ્પા સેન્ટરો પર પોલીસની મેગા રેડ, 9 સ્પા સંચાલકોની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : રાજ્ય વ્યાપી સ્પાને લઇને ગુજરાત પોલીસની ખાસ ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે ગૃહરાજ્ય મંત્રીના આદેશ બાદ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં સ્પા અને મસાજ સેન્ટરમાં પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં અમદાવાદમાં 24 કલાકમાં 350થી વધુ સ્પામાં પોલીસે રેડ કરી 10 જેટલા ગુના નોંધીને 9 સ્પા સંચાલકોની ધરપકડ કરી. હજુ એક સપ્તાહ સુધી પોલીસ સ્પામાં ચેકીંગ કરશે અને સ્પાની આડમાં જો કંઈપણ ગેરરીતિ જણાશે તો તેમની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનું દુષણ વધતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પા અને મસાજ સેન્ટરમાં ચેકીંગના આદેશ આપતા ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાતના જુદા જુદા શહેરોમાં 851 જેટલા સ્પા સેન્ટરોમાં રેડ કરવામાં આવી છે. અમદાવાદમાં 350થી વધુ સ્પા સેન્ટરમાં રેડ કરીને 10 ગુના નોંધાયા છે. જ્યારે 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે બીજા દિવસે પણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહિલા પોલીસ અને હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાંદખેડામાં આવેલા વેલનેસ સ્પામાં પોલીસે રેડ કરીને જાહેરનામાનું ભંગ કરવા બદલ સાહિલ ચૌહાણ નામના સંચાલકની ધરપકડ કરી હતી.આવનાર સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બધા પોલીસ વડા-રેન્જ અધિકારી, પોલીસ કમિશ્નરો, જોઇન્ટ પોલીસ કમિશ્નરો તથા નાયબ પોલીસ કમિશ્નરોની સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપી હતી. તેમના આદેશનું પાલન કરતા સમગ્ર રાજ્યમાં 18મી ઓક્ટોબરથી શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજી પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યભરમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને હંમેશા બંધ કરવામાં આવશે.

ગુજરાતમાં સ્પા સેન્ટરો ઠેર ઠેર શરૂ થઈ ગયા છે. નિયમોનું પાલન કર્યા વગર ગેરકાયદે પ્રવુતિ કરતા સ્પા સંચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મોટા ભાગના સ્પામાં નોર્થ ઇસ્ટની યુવતીઓ અને વિદેશી યુવતીઓ કામ કરતી હોય છે. જેમાં સ્પા મસાજની આડમાં દેહ વેપારની પ્રવૃતિઓ પણ ચાલતી હોય છે.ખાસ તો કાયદેસરના સ્પા સેન્ટર ચલાવવાના નિયમો રાખવામાં આવ્યા છે.

સ્પાના નિયમોને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામુ
સ્પા શરૂ કરવા AMCમાંથી શોપ રજિસ્ટ્રેશન એક્ટ મુજબ લાયસન્સ મેળવવાનું રહેશે
રાજ્ય બહારથી આવતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત
સ્પાના સંચાલક અને મહિલા કર્મચારીઓની આઇડી પ્રુફની માહિતી પોલીસ સ્ટેશનમાં નોંધણી ફરજિયાત
વિદેશની યુવતી હોય તો વિઝાની માહિતી અને ડોક્યુમેન્ટ સાથે સ્થાનિક પોલીસનું રજિસ્ટ્રેશન ફરજીયાત
કાયદેસર સ્પા માટે આધાર કાર્ડ, ફોટો આઇડી પ્રુફ, લાયસન્સ અને રજિસ્ટ્રેશનની પોલીસ સ્ટેશનમાં નોંધણી ફરજિયાત

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...