Tuesday, January 13, 2026

વેજલપુરમાં કોન્સ્ટેબલ આપઘાતનો મામલો, મહિલા પોલીસ કર્મી પ્રેમિકાની ધરપકડ કરાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના N ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મૂળ ભાવનગરના યુવક હિતેશ આલે કરેલા આપઘાતના કેસમાં નવા ખુલાસા થયા છે. કોન્સ્ટેબલ હિતેશ આલના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં હવે SG-2માં ફરજ બજાવતી રીંકલ નામની પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. રીંકલે હિતેશને ધમકી આપી માર મારી ટોર્ચર કર્યું હતું, જેનાથી કંટાળી હિતેશે આપઘાત કર્યો હતો. વેજલપુર પોલીસે ગુનો નોંધી રીંકલની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની કૃષ્ણનગર સોસાયટી માં ગત તા. 9.10.2023 ના રોજ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલ કોન્સ્ટેબલ હિતેશ આલે આપઘાત કર્યાના કેસમાં નવા ખુલાસા થયા છે. અમદાવાદ પોલીસના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી રીંકલ દેસાઈ પોલીસ કોન્સ્ટેબલ હિતેશ આલને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપીને માનસિક ત્રાસ આપતી હતી. જેથી કંટાળીને પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હતો.

ઘટના એવી છે કે છેલ્લા 3 વર્ષથી આરોપી રીંકલ અને હિતેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો.પરંતુ કોઈ કારણસર સંબધ તૂટી જતા હિતેશે સમાજમાં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેથી મહિલા પોલીસ કર્મી રીંકલ સતત હિતેશને માનસિક ત્રાસ આપતી હતી. ઓનલાઈન ખરીદી કરવાનું પેમેન્ટ અને આર્થિક મદદ મેળવવાની સાથે ધમકીઓ પણ આપતી હતી. પ્રેમિકાનો માનસિક ત્રાસ વધતા પોલીસ કર્મીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટના બાદ મૃતક હિતેશના મોટા ભાઈએ રીંકલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલા પોલીસની ધરપકડ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...