Tuesday, January 13, 2026

અમદાવાદીઓ મોર્નિંગ વોક કરતા પહેલા ચેતજો, આ ઉદ્યોગપતિ પાછળ શ્વાન પડતા માથામાં ઈજા, લાંબી સારવાર બાદ નિધન

spot_img
Share

અમદાવાદ : વાઘ બકરી ગૃપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું છે. વાઘ-બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં ગુજરાત ઉદ્યોગજગતમાં શોકની લગાણી છવાઈ ગઈ છે. મહત્વનું છે કે, પરાગ દેસાઈને થોડા દિવસો અગાઉ બ્રેન હેમરેજ થયું હતું અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાઘ બકરી ચાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈ ઈસ્કોન-આંબલી રોડ પર ગત તા. 15મી ઓક્ટોબરના રોજ મોર્નિંગ વોક પર નીકળ્યા તે દરમિયાન રખડતા શ્વાન તેમની પાછળ દોડ્યા અને આ દરમિયાન તેઓ પડી જતાં તેમના માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેમને પ્રથમ શેલ્બી અને તે બાદ ઝાયડસ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમા સારવાર દરમિયાન બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતુ.

પરાગ દેસાઈને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા હતા અને તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે સ્વાસ્થ્યમાં સુધારો ન થતાં છેવટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 49 વર્ષિય ઉદ્યોગ સાહસિકના નિધનથી બિઝનેસ જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. આજે સોમવારે સવારે નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી.

પરાગ દેસાઈ ટી ટેસ્ટર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત હતા. તેમણે અમેરીકામાં MBA નો અભ્યાસ કર્યો હતો. તેઓ 1892 માં નારણદાસ દેસાઈ દ્વારા સ્થાપવામાં આવેલા પોતાની ચાર પેઢીનો ફેમિલી બિઝનેસ સંભાળતા હતા. પરાગભાઈ 1990 ના દાયકામાં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. તેઓ કંપનીના વેચાણ, માર્કેટિંગ અને નિકાસની જવાબદારી સંભાળતા હતા.

પરાગ દેસાઈ જ્યારે પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાયા ત્યારે વાઘ બકરીનું મૂલ્ય 100 કરોડથી પણ ઓછું હતું પણ તેમની કંપનીનું હાલનું વાર્ષિક ટર્નઓવરમાં ભારતમાં 2000 કરોડથી વધારે છે. વાઘ બકરી ચા 24 રાજ્યોમાં વિસ્તરેલી છે અને દુનિયાના 60 દેશોમાં ચા એક્સપોર્ટ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...