Thursday, March 12, 2026

અમદાવાદીઓ મોર્નિંગ વોક કરતા પહેલા ચેતજો, આ ઉદ્યોગપતિ પાછળ શ્વાન પડતા માથામાં ઈજા, લાંબી સારવાર બાદ નિધન

spot_img
Share

અમદાવાદ : વાઘ બકરી ગૃપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું છે. વાઘ-બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં ગુજરાત ઉદ્યોગજગતમાં શોકની લગાણી છવાઈ ગઈ છે. મહત્વનું છે કે, પરાગ દેસાઈને થોડા દિવસો અગાઉ બ્રેન હેમરેજ થયું હતું અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાઘ બકરી ચાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈ ઈસ્કોન-આંબલી રોડ પર ગત તા. 15મી ઓક્ટોબરના રોજ મોર્નિંગ વોક પર નીકળ્યા તે દરમિયાન રખડતા શ્વાન તેમની પાછળ દોડ્યા અને આ દરમિયાન તેઓ પડી જતાં તેમના માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેમને પ્રથમ શેલ્બી અને તે બાદ ઝાયડસ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમા સારવાર દરમિયાન બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતુ.

પરાગ દેસાઈને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા હતા અને તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે સ્વાસ્થ્યમાં સુધારો ન થતાં છેવટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 49 વર્ષિય ઉદ્યોગ સાહસિકના નિધનથી બિઝનેસ જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. આજે સોમવારે સવારે નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી.

પરાગ દેસાઈ ટી ટેસ્ટર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત હતા. તેમણે અમેરીકામાં MBA નો અભ્યાસ કર્યો હતો. તેઓ 1892 માં નારણદાસ દેસાઈ દ્વારા સ્થાપવામાં આવેલા પોતાની ચાર પેઢીનો ફેમિલી બિઝનેસ સંભાળતા હતા. પરાગભાઈ 1990 ના દાયકામાં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. તેઓ કંપનીના વેચાણ, માર્કેટિંગ અને નિકાસની જવાબદારી સંભાળતા હતા.

પરાગ દેસાઈ જ્યારે પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાયા ત્યારે વાઘ બકરીનું મૂલ્ય 100 કરોડથી પણ ઓછું હતું પણ તેમની કંપનીનું હાલનું વાર્ષિક ટર્નઓવરમાં ભારતમાં 2000 કરોડથી વધારે છે. વાઘ બકરી ચા 24 રાજ્યોમાં વિસ્તરેલી છે અને દુનિયાના 60 દેશોમાં ચા એક્સપોર્ટ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...