Tuesday, January 20, 2026

છોકરીને ભગાડી જવાના કેસમાં પતાવટ કરવા ASIને 2 લાખની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા

spot_img
Share

અમદાવાદ : ભ્રષ્ટાચારીઓએ માઝા મૂકી હોય એમ લાંચની માંગણી કરી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના ગૃહ વિભાગે આવા ભ્રષ્ટાચારીઓને ઝડપી લેવા માટે અભિયાન ચલાવ્યુ હોય એમ ભ્રષ્ટાચારીઓને ઝડપવામાં આવી રહ્યા છે. અમદાવાદના ધોળકા રુરલ પોલીસ સ્ટેશનનો ASI લાંચ લેતા ઝડપાયો હતો. આરોપી આસીસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરે એક પ્રેમી જોડુ ફરાર થઈ જવાના કેસમાં આરોપી યુવકને રજુ કરવા માટે થઈને લાંચ માટે શરુઆતમાં 5 થી 7 લાખ રુપિયાની રકમ માંગી હતી. અંતે બે લાખ રૂપિયામાં આ કેસની પટાવટ કરવાનું નક્કી કર્યું હતું. જોકે ફરિયાદી આ કેસમાં લાંચ નહીં આપવા માંગતા હોય ACBનો સંપર્ક કરી ACBએ છટકુ ગોઠવી રૂપિયા બે લાખની લાંચ લેતા ASI કરણસિંહ ગોહિલ અને માજી સરપંચ ઈશ્વર ઠાકોરને પકડી પડ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, થોડા સમય પહેલા ફરિયાદીના ભત્રીજાએ બાજુના ગામમાં રહેતી છોકરીને ભગાડી લઈ ગયેલો હતો. તે દરમિયાન અસલાલી પોલીસ સ્ટેશનમાં દીકરીના પિતાએ પોકસોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવવા અસલાલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બીજી તરફ આ કેસમાં છોકરાં વિરુદ્ધ પોકસોની ફરિયાદ દાખલ ન થાય અને ફરિયાદીના ભત્રીજાને પોલીસ સમક્ષ હાજર કરવા માજી સરપંચ ઈશ્વર ઠાકોરને ભલામણ કરી હતી. જોકે માજી સરપંચ ઈશ્વર ઠાકોર સ્થાનિક આગેવાન હોવાથી આ કેસ આગળ ન વધે તેના માટે ASI કરણ ગોહિલને વાત કરી દીકરીના પિતાને વાત કરીને કેસમાંથી બચાવી લેવા અને કેસની પતાવટ કરાવવામાં મધ્યસ્થી કરવા કહ્યું હતું. પરંતુ ઈશ્વર ઠાકોર માજી સરપંચે આ સમાધાન કરાવવા અને છોકરીને કાસીન્દ્રા ખાતે રજુ કરવા માટે લઈ ગયા હતા.

બાદમાં છોકરાને પણ પકડી લઈ રજૂ કરવાની જવાબદારી લીધી હતી. પરંતુ છોકરાને પોકસોના કેસમાં બચાવી લેવા અને અસલાલી પોલીસ સ્ટેશનમાં આ કેસની પતાવટ કરાવવા બંને આરોપીઓએ આ કેસના ફરિયાદી પાસેથી પાંચથી સાત લાખ રૂપિયા ખર્ચો થાય તે કરવા વાતચીત કરી હતી અને આખરે રૂપિયા બે લાખમાં ડીલ નક્કી કરી લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા નહોતા જેને પગલે ACBનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારિત સોમવારે છટકું ગોઠવ્યુ હતું. અને ધોળકા વિસ્તારમાં જ્યાં રૂપિયાની લેવડદેવડ કરવાનું ફરિયાદી સાથે આરોપીઓએ નક્કી કર્યું હતું. તે અંગે ACB ટીમે હેતુલક્ષી વાતચીત કરાવી નાણાં સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. હાલ બંને આરોપીઓની ACBએ અટકાયત કરી ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...