અમદાવાદ : અમદાવાદીઓ દશેરાના દિવસે ફાફડા-જલેબી આરોગવામાં જરા પણ કસર છોડતા નથી. પછી ભલે તે ગમે તેટલા મોટા નેતા કેમ ન હોય, પણ ફાફડા-જલેબી આરોગવાનું તેઓ ચૂકતા નથી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતમાં છે. જેમાં ગઈકાલે અમદાવાદમાં બે જગ્યાએ ગરબાના કાર્યક્રમ આપી હતી. તેમાં માતાજીના દર્શન કરી અમિત શાહ આશીર્વાદ મેળવ્યા હતાં.અને રાસ-ગરબાના એક કાર્યક્રમમાં અમિત શાહે ફાફડા-જલેબીની જયાફત માણી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમવારે રાત્રે અમિત શાહે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યુ હતુ.જે પછી અમદાવાદમાં 2 સ્થળે ગરબા આયોજનમાં તેમણે હાજરી આપી હતી. જે પૈકી સોમવારે એટલે કે ગત રાત્રે તેમણે માંડવી રાસલીલા ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે ખેલૈયાઓ અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ નાસ્તામાં ફાફડા-જલેબીની જયાફત માણી હતી. તેમણે ખૂબ હળવા મૂળમાં લોકો સાથે મુલાકાત કરી હતી.




