Friday, January 23, 2026

પાણી પીતા હોવ એનાથી બમણું પીવાનું રાખો, હાર્ટ એટેકથી બચવાનો હાલ આ વિકલ્પ : નિષ્ણાંતો

spot_img
Share

અમદાવાદ : છેલ્લા આઠ દિવસમાં રાજ્યના જુદાજુદા ભાગમાં 22થી વધુ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાં છે અને આ સિલસિલો છેલ્લા 12 મહિનાથી સતત ચાલુ જ છે. ડૉક્ટરોના અનુભવ મુજબ 90 ટકા કિસ્સામાં જે લોકોને હાર્ટ એટેક આવ્યો છે તેઓ જીમ, ગરબા, ડાંસ કે લગ્ન પ્રસંગે ગમે તે શારીરિક પ્રવૃત્તિ કે માનસિક તણાવ અનુભવી રહ્યાં હતાં. આવા સંજોગોમાં દિવ્ય ભાસ્કરે ગુજરાતના જાણીતા ચાર હૃદય રોગ નિષ્ણાત ડૉક્ટરો સાથે હાર્ટ એટેકના કેસ વધવા પાછળના તળસ્પર્શી કારણો જાણવા પ્રયાસ કર્યો હતો. જેમાં તાર્કિક અને મહત્વપુર્ણ કારણ એવું સામે આવ્યું છે કે, પાણી ઓછું પિવાથી શરીરમાંથી પાણીનું સ્તર ઘટી જવાના કારણે લોહી જાડુ પડે છે અને હાર્ટ એટેકના કેસ વધતા હોઈ શકે છે. બીજૂ મહત્વનું તારણ એવું પણ સામે આવ્યું છે કે, પરિવારમાં હાર્ટ એટેકની હિસ્ટ્રી હોય અને સાથેસાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અનિંદ્રા, ખરાબ લાઈફ સ્ટાઈ કે વ્યસન ધરાવતી વ્યક્તિ હાર્ટ એટેક માટે હાઈરિસ્ક પર છે. આવા લોકોએ અચાનક શારીરિક શ્રમ કરવો જોઈએ નહીં. શારીરિક શ્રમની માત્રા ધીમેધીમે વધારવી જોઈએ અને તેમ કરતા પહેલા એક વખત ડૉક્ટર પાસે જઈ હેલ્થ ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે.

ડૉ. તેજસ પટેલે કહ્યું કે, સામાન્ય સમજણ મુજબ જે લોકોની બેઠાળુ જીવનશૈલી હોય તેમને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે, પણ હવે ગરબામાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં તાર્કિક રીતે કહી શકાય કે, ત્રણ-ચાર કલાક સુધી સળંગ ગરબા રમતા લોકોના શરીરમાંથી પ્રવાહી વહી જાય છે, પણ સમયાંતરે પાણી પીવાની દરકાર લેતા નથી. એના કારણે લોહી જાડુ પડે છે અને ક્લોટિંગ થઈ શકે છે. મેડિકલ સાયન્સમાં સાબિત થયેલું છે કે, શરીરની જરૂરીયાત મુજબ પાણીની માત્રા જળવાય તે જરૂરી છે. નહીં તો હૃદય સહિતના ઘણા કોમ્પ્લિકેશન શરીરમાં આવી શકે છે.

ડૉ. ચિરાગ દોષીએ કહ્યું કે, એક સ્વસ્થ્ય વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 4 લીટર સુધી પાણી પીવું જોઈએ અને જે લોકો શારીરિક શ્રમ કરી રહ્યાં હોય તેમણે દિવસમાં 6 લીટર પાણી અવશ્ય પીવું જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિએ બાર મહિના સુધી કોઈ જ શારીરિક શ્રમ કર્યો નથી અને અચાનક કલાકો સુધી ગરબા રમે અથવા ફિઝિકલ એક્સરસાઈઝ કરે ત્યારે શરીરમાં પાણી ઘટી જવાના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે.

ડૉ. સમીર દાણીએ કહ્યું કે, તેમના ધ્યાનમાં બે કિસ્સા આવ્યા હતા જેમાં સ્ટ્રેસના કારણે હાર્ટ એટેક આવ્યો હતો. બે પરિવાર જેમના ઘરમાં લગ્ન પ્રસંગ હતો. તેઓ ઘરના મોભી હોવાથી તેમના ઉપર સ્વાભાવીક રીતે વિશેષ જવાબદારી હોવાથી તેમના ઉપર માનસિક તણાવ હતો. સંયોગ હતો કે, બંને દર્દી દિકરી પક્ષના હતા. સમયસર સારવાર મળી જતા બંને દર્દીનો જીવ બચી ગયો હતો.

પાણી પીવાના મુખ્ય 8 ફાયદા
– સાંધાને લુબ્રિકેટ કરે છે
– મોઢામાં લાળ બનાવવા મદદરૂપ થાય છે
– ત્વચાના સ્વાસ્થ્ય અને સુંદરતામાં વધારો કરે છે
– તે મગજ, કરોડરજ્જુ અને અન્ય સંવેદનશીલ પેશીઓ માટે લાભદાયક છે
– તે શરીરના તાપમાનને નિયંત્રીત રાખે છે
– તે શરીરનો કચરો દૂર કરે છે
– તે બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરે છે
– શરીરની પેશીઓને લચીલી બનાવવા મદદરૂપ થાય છે

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ બંને જુદા છે
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ધવલ નાયક કહે છે કે, હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને જુદી બાબત છે. હૃદયમાં ધમની બ્લોક થવાના કારણે હાર્ટ એટેક આવે છે જ્યારે કાર્ડિયાક એરેસ્ટ માટે એકલું હાર્ટ એટેકનું કારણ હોવું જરૂરી નથી. બ્રેઈન સ્ટ્રોક કે પલ્મોનરી એમ્બોલિઝમ વગેરે પણ કાર્ડિયાક એરેસ્ટ માટેનું કારણ હોઈ શકે છે. ભારતમાં મુખ્યત્વે ડાયાબિટીસ, તંબાકુ અને તણાવનું કોમ્બિનેશન હાર્ટ એટેક માટે મુખ્ય જવાબદાર કારણો જોવા મળે છે.

(સૌ : દિવ્યભાસ્કર) (દિવ્યભાસ્કરના અનુભવી અને પીઢ પત્રકાર શાયર રાવલનો ખુબ ઉપયોગી સૂચનો સાથેનો અહેવાલ)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...