Friday, January 23, 2026

અમદાવાદ સાયબર ક્રાઇમનો પોલીસ કોન્સ્ટેબલ 10 લાખની લાંચ લેતા ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર ACBએ સપાટો બોલાવ્યો છે. જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમનો પોલીસ કોન્સ્ટેબલ 10 લાખની લાંચ લેતા ઝડપાયો છે. અમદાવાદમાં આવેલા લાંચ અને રુશ્વત બ્યુરોને મળેલ ફરિયાદ મુજબ શાહીબાગ ખાતે આવેલા સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરજ બજાવતા એક પોલીસ અધિકારીએ ફ્રીઝ થયેલા બેન્ક એકાઉન્ટને ખોલાવવા અંગે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદીએ ટુકડે ટુકડે 7 લાખ રૂપિયાની ચુકવણી કરી ચુક્યા હતા. અને હજુ પણ બાકીના 3 લાખ રૂપિયાની પણ માંગણી કરી રહ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ફરીયાદી વિરુધ્ધ સાયબર ક્રાઇમમાં અરજી થઇ હતી જે કામે ફરીયાદી વિરુધ્ધ FIR નહી કરવા અને ફરીયાદીનું ફેડરલ બેંકનું ફ્રીજ થયેલ ખાતુ ખોલવા આરોપી હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમારએ ફરીયાદી પાસે 10 લાખની લાંચની માંગણી કરી ટુકડે-ટુક્ડે ફરીયાદી પાસેથી 7 લાખ લઇ લીધેલ હતા. બાકીના 3 લાખની ફરીયાદી પાસે લાંચની માંગણી કરેલ હોય, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ACBનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી.

ACB ની ટ્રેપમાં સાયબર ક્રાઇમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમાર શાહીબાગ ખાતે આવેલા કેમ્પ હનુમાન ટેલીફોન એક્ષચેંજ બસ સ્ટેન્ડ પાછળ રંગે હાથે 3 લાખની લાંચ લેતા ACB ની ટ્રેપમાં ઝડપાયા છે.હાલતો ACB એ સાયબર ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમારની ડિટેઇન કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...