અમદાવાદ : આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરે શરદ પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી રાજ્યના વિવિધ સુપ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, દ્વારકા અને સોમનાથ મહાદેવ મંદિરમાં બપોર બાદ ભક્તો દર્શન કરી શકશે નહીં. શરદ પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી આ મંદિરો દર્શન માટે બંધ રાખવામા આવ્યા છે.
રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર
અંબાજીમાં આવતી કાલે બપોર બાદ મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. તેમજ આજે અંબાજીમાં માતાજીને દૂધપૌઆનો ભોગ ધરાવાશે. જ્યારે ચંદ્રગ્રહણના દિવસે બપોરે 2થી 2.30 કલાકે સાયં આરતી કરવામાં આવશે.
ચંદ્રગ્રહણને લઈને દ્વારકાધીશ મંદિરમાં પણ 27 ઓક્ટોબરે રાસોત્સવ યોજાશે.
સોમનાથ મહાદેવ મંદિરમાં વિવિધ પૂજા બંધ રખાશે.સોમનાથ મહાદેવ મંદિરમાં સાયં આરતી બંધ રહેશે.
પાવાગઢ મંદિર આવતી કાલે પુનમના દિવસે બપોર બાદ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચંદ્રગ્રહણને લઈને બપોરે 2.30 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે.


