Sunday, January 18, 2026

નારણપુરામાં આગ બાદ ઘરમાંથી ફાયર વિભાગના જવાનને મળ્યું 100 તોલા સોનું, પછી જુઓ શું થયું

spot_img
Share

અમદાવાદ : ક્યારેક ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવી જ એક ઘટના શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ પટેલ કોલોનીમાં પંચનિધિ એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક એ-12માં એક મકાનમાં રૂમમાં શુક્રવારે રાત્રે અચાનક આગ લાગી હતી. ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની બે ગાડીઓએ ઘટનાસ્થળે પહોચીને એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ પર કાબૂ મેળવાયા બાદ જ્યારે તપાસ શરૂ કરાઈ તો ઘરમાંથી ઘરેણાનું બોક્સ મળ્યું જે ચર્ચાનો વિષય બની ગયો.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તાર છે ત્યાં પંચનિધિ બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં ઘરવખરી બધી જ ખાખ થઈ ગઈ હતી. પરંતુ એક બોક્સમાં મકાનમાં રહેતા શખસના 100 તોલા દાગીના હતા. જેને સુરક્ષિત બહાર લાવવામાં ફાયર બ્રિગેડની ટીમનો મોટો હાથ રહેલો જોવા મળ્યો છે. ફાયરબ્રિગ્રેડ અધિકારીએ આગ બુઝાવી દીધા બાદ ઘરેણાના બોક્સ ખોલવાનું શરૂ કર્યું હતું. જેમાં આ ઘરેણાના બોક્સને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. એટલું જ નહીં તે બળીને ખાખ થઈ ગયા હતા.

તો કેટલાક બોક્સની અંદર જે ઘરેણા રહેલા હતા તે સુરક્ષિત હતા. એક એક કરીને આ ફાયરબ્રિગ્રેડ અધિકારીએ તમામ ઘરેણા એક થેલીમાં મુક્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાવો કરાઈ રહ્યો છે કે આ ઘરેણા 100 તોલાના હતા. જેથી કરીને તેને બચાવી લેવામાં ફાયરબ્રિગ્રેડ અધિકારીનો મોટો હાથ રહેલો છે. આ બિલ્ડિંગમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એવી માહિતી મળી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...