અમદાવાદ : ક્યારેક ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવી જ એક ઘટના શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ પટેલ કોલોનીમાં પંચનિધિ એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક એ-12માં એક મકાનમાં રૂમમાં શુક્રવારે રાત્રે અચાનક આગ લાગી હતી. ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની બે ગાડીઓએ ઘટનાસ્થળે પહોચીને એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ પર કાબૂ મેળવાયા બાદ જ્યારે તપાસ શરૂ કરાઈ તો ઘરમાંથી ઘરેણાનું બોક્સ મળ્યું જે ચર્ચાનો વિષય બની ગયો.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તાર છે ત્યાં પંચનિધિ બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં ઘરવખરી બધી જ ખાખ થઈ ગઈ હતી. પરંતુ એક બોક્સમાં મકાનમાં રહેતા શખસના 100 તોલા દાગીના હતા. જેને સુરક્ષિત બહાર લાવવામાં ફાયર બ્રિગેડની ટીમનો મોટો હાથ રહેલો જોવા મળ્યો છે. ફાયરબ્રિગ્રેડ અધિકારીએ આગ બુઝાવી દીધા બાદ ઘરેણાના બોક્સ ખોલવાનું શરૂ કર્યું હતું. જેમાં આ ઘરેણાના બોક્સને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. એટલું જ નહીં તે બળીને ખાખ થઈ ગયા હતા.
તો કેટલાક બોક્સની અંદર જે ઘરેણા રહેલા હતા તે સુરક્ષિત હતા. એક એક કરીને આ ફાયરબ્રિગ્રેડ અધિકારીએ તમામ ઘરેણા એક થેલીમાં મુક્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાવો કરાઈ રહ્યો છે કે આ ઘરેણા 100 તોલાના હતા. જેથી કરીને તેને બચાવી લેવામાં ફાયરબ્રિગ્રેડ અધિકારીનો મોટો હાથ રહેલો છે. આ બિલ્ડિંગમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એવી માહિતી મળી રહી છે.


