Wednesday, January 21, 2026

અમદાવાદમાં આ વિસ્તારોમાં રોડ પર વાહનો પાર્ક કરવા બદલ 410 રહેણાંક 501 કોમર્શિલય એકમને AMCની નોટિસ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે કોર્પોરેશને હવે રોડ પર થતાં ગેરકાયદે પાર્કિંગ સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. એક અંદાજ મુજબ શહેરના લગભગ 30 ટકા રોડ પર વાહનો અને લારી-ગલ્લાનું ગેરકાયદે દબાણ છે. સેટેલાઈટમાં આવેલા કેનયુગ ચારરસ્તાથી રાહુલ ટાવર સુધીના રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરવા બદલ મ્યુનિ.એ 11 બિલ્ડિંગના 410 ફ્લેટ અને 501 દુકાનો મળી કુલ 911 યુનિટને રોડ પર પાર્કિંગ નહીં કરવા નોટિસ આપી છે. જો રોડ પર પાર્કિંગ ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMCના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર રહેલા ગેરકાયદેસર પાર્કિગ મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. ઇસ્કોન ચાર રસ્તાથી ઉજાલ સર્કલ સુધીના એસજી હાઇવે તથા સર્કલ પીથી પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા થઇ શ્યામલ ચાર રસ્તાથી કેનયુગ સુધીના ટીપી રોડ પર રહેલા 28 નાના મોટા દબાણો દૂર કરાયા હતા.કેનયુગ ચાર રસ્તાથી રાહુલ ટાવર સુધીના રોડ પર આવેલા રહેણાંક મિલકત તેમજ કોમર્શિયલ માલિકો તથા જાહેર જનતા દ્વારા બિનઅધિકૃત રીતે પાર્કિગ થયેલ જણાતા રોડ પાર્કિગ ન થાય તેમજ માર્જીન પૈકીની જગ્યાઓમાં દબાણ ન થાય તે અંગે જરૂરી વ્યવસ્તા કરવા સંબંધી માલિક, ચેરમેન, સેક્રેટરી એમ રહેણાંકના 410 અને કોમર્શિલયના 501 મળી કુલ 911 યુનિટને જાહેર નોટિસ અપાઇ હતી.

AMC દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગે પણ જાહેર રસ્તામાં અડચણરૂપ લારી ગલ્લાઓ હટાવ્યા હતા. તેમજ ટ્રાફિકને નડતર કુલ 7 વાહનો લોક કરી 2700 વહિવટી ચાર્જ વસુલ કરાયો હતો. AMC ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પણ જાહેર રસ્તામાં રહેલા દબાણ દૂર કરાયા હતા. BRTS કોરિડોર પાસે દબાણ કરનાર પાસેથી રૂપિયા 8200નો વહિવટી ચાર્જ વસૂલ કરાયો છે. નાના મોટા પરચૂરણ માલ સામાન નંગ 78 મળીને કુલ 138 જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...