Wednesday, March 4, 2026

અમદાવાદીઓ દિવાળીના તહેવારોમાં રહેજો સાવધાન ! AMCએ લીધેલા ઘી-પનીરના 4 સેમ્પલ ફેલ થયા

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે. ત્યારે આ પહેલા અમદાવાદમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને શહેરમાં વિવિધ ખાણીપીણીની દુકાનો પર તપાસ હાથ ધરી છે. ત્યારે AMC દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીરના સેમ્પલ પૈકી ઘીના 3 અને પનીરનું એક સેમ્પલ ફેલ થયુ છે.

દિવાળાના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે AMCના ફૂડ વિભાગ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે AMCની આ તપાસમાં કેટલાક દુકાનદારો દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં AMC દ્વારા લેવામાં આવેલ સેમ્પલોમાંથી કેટલાક ઘી અને પનીરના સેમ્પલો ફેલ ગયા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ પાલડી CNG પંપ પાસે આવેલા જલારામ પરોઠા હાઉસમાંથી ફૂડ વિભાગની ટીમે પનીરના સેમ્પલ લીધા હતા. જે AMCની લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. તેમજ માધુપુરામાં ટાકાટુકા ટ્રાન્સપોર્ટ પાસે આવેલા એચ.પી ફૂડ્સમાંથી લીધેલ ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.

આ સાથે નિકોલ ગામમાં આવેલ સહજાનંદ ઘી પાર્લરમાંથી લેવામાં આવેલું ઘીનું સેમ્પલ અને મેમનગર સુભાષ ચોક પાસે આવેલ શ્રીજી ડેરી પાર્લરનું ઘીનું સેમ્પલ પણ ફેલ થયુ છે.સબસ્ટન્ડર્ડનો અર્થ થાય છે કે જે મુખ્ય તત્વ છે તે તત્વમાં અન્ય કોઇ અખાદ્ય વસ્તુ ઉમેરવામાં આવી છે. અથવા કલર તેમજ પામોલીન તેલ ઘીમાં ઉમેરાયું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત દિવસમાં ફુડ વિભાગે વિવિધ ખાદ્યચીજના 143 સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...