Monday, January 19, 2026

અમદાવાદમાં વધુ એક અકસ્માત, AMCનું વાહન ચલાવતા ડ્રાઈવરે બાઇકચાલકને લીધો અડફેટે

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ખુદ AMCના વાહને બાઇકને ટક્કર મારી હોવાની ઘટના બની છે. સોલિડ વેસ્ટ વિભાગના વાહને બાઇકને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલકને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMCના સોલિડ વેસ્ટ વિભાગના વાહને બાઇકને ટક્કર મારતા AMCના વાહને બાઈકને ટક્કર મારી હતી અને તેનું આગળનું પૈડું ટુ વ્હીલર પર ચડી ગયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલકને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.જ્યારે એવી પણ માહિતી સામે આવી છે કે, AMCના વાહન ચાલક પાસે લાયસન્સ નહોતું. ડ્રાઈવર લાયસન્સ વગર મનપાનું વાહન ચલાવતો હતો.

આ અગાઉ AMCના ડમ્પર ચાલકે રિવરફ્રન્ટ પર ઘણા વાહનો અને ઝુંપડાને અડફેટે લીધા હતા. AMCના ડમ્પરે જ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના બની હતી. રિવરફ્રન્ટ ખાતે AMCનું ડમ્પર બે કાચા મકાનમાં ઘુસી ગયું હતું. જેના પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ડમ્પર ઘુસી જતાં મકાનને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ભારે હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...