અમદાવાદ: શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે. અમદાવાદના સૌથી ફેમસ પિકનિક સ્પોટ પર હત્યાનો બનાવ બન્યો છે. શહેરના દધીચિ બ્રિજ રિવરફ્રન્ટ પર ફાયરીંગ વીથ મર્ડરની ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ પર સ્મિત રાજેશભાઇ ગોહિલ નામના યુવકની ગોળી મારીને હત્યા કરાઈ છે.આ હત્યામાં મૃત્યું પામેલો યુવાન ચાંદલોડિયાનો રહેવાસી હોવાની વિગત સામે આવી છે. હાલ મૃતકની ડેડ બોડીની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગી છે.
હાલ મળતા રિપોર્ટ મુજબ, મોડી રાત્રે રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરી સ્મિત રાજેશભાઇ ગોહિલની હત્યા કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રિવરફ્રન્ટ પર સવારે 25 વર્ષીય એક યુવકની લાશ મળી હતી. જેના વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર સ્મિત રાજેશભાઇ ગોહિલ નામના યુવકની હત્યા કરાઈ છે. રાતના સમયે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે.
ઘટના પછી એફએસએલની ટીમ અને પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી છે. ક્યા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું તે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ હત્યા અંગે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.


