Monday, March 2, 2026

વિસનગરની આ હોસ્પિટલનો અનોખો સેવાયજ્ઞ, 1 મહિનો વિનામૂલ્યે સારવાર અપાશે

spot_img
Share

વિસનગર : વર્તમાન સમયમાં આટલી મોંઘવારીમાં હોસ્પિટલમાં સારવારનો ખર્ચ સામાન્ય માણસ પરવડે નહી. હોસ્પિટલનાં ખર્ચથી લોકો થાકી જાય છે. હોસ્પિટલનાં મોટા બીલ લોકોનાં ખીસ્સા ખાલી કરી નાખે છે. ત્યારે મહેસાણા જિલ્લાની વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન કોઈપણ રોગના દર્દીને નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે તપાસ- નિદાન અને અન્ય સેવાઓ ખૂબ જ રાહત દરે આપવાનું આયોજન કરાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સ્થાપક, સ્વાતંત્ર સેનાની અને સામાજિક કાર્યકર સ્વ. સાંકળચંદ પટેલ (દાદા)ની પૂણ્યતીથિ નિમિત્તે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન કોઈપણ રોગના દર્દીને નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે તપાસ- નિદાન અને અન્ય સેવાઓ ખૂબ જ રાહત દરે આપવાનું સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ સહિત ટ્રસ્ટીગણે આયોજન કર્યું છે.

સ્વ.સાંકળચંદ દાદાની પૂણ્યતિથિ નિમિત્તે વિસનગરની નૂતન હોસ્પિટલમાં સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન કોઈપણ રોગના દર્દીને નિષ્ણાંત ડોક્ટર દ્વારા વિનામૂલ્યે તપાસ અને નિદાન કરાશે. એક્સરે, કાર્ડિયોગ્રામ (ઇસીજી) નિયત કરેલ બ્લડ રિપોર્ટ, ડાયાબીટિસ માટે આરબીએસ, કિડની માટે એસ.ક્રેટીને, લીવર માટે એસજીપીટી સહિત રિપોર્ટ વિનામૂલ્યે થશે.

આ ઉપરાંત દર્દીને દાખલ થાય તો રહેવાની તેમજ જવાની તેમજ જેનરિક દવા મફત આપવામાં આવશે. મોતિયાના સાદા ઓપરેશન, ડિલિવરી, નાક, કાન અને ગળા તેમજ હાડકાના કે અન્ય પ્રકારના ઓપરેશન વિના મૂલ્યે થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...