Sunday, September 14, 2025

અમદાવાદના આ વિસ્તારમાંથી માથાં વગરનો યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

Share

Share

અમદાવાદ : શહેરના મકરબા કોર્પોરેટ રોડ પાસેથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વેજલપુરના ગ્રીન એકર બિલ્ડીંગ પાસે ધડ વગરનો એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. માથું શરીરથી અલગ કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસને જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ આજે સવારે અમદાવાદના મકરબા-કોર્પોરેટ રોડ પર ગ્રીન એકર બ્લિડિંગ નજીક કપાયેલું માથું અને કાપેલી હાલતમાં શરીરનો ભાગ મળી આવ્યો હતો. આનંદનગર વિસ્તારમાંથી વહેલી સવારે સ્થાનિકો દ્વારા પોલીસને ફોન કરીને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. હંસ રેસિડેન્સી નજીક એક ખુલ્લા પાર્ટી પ્લોટમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં પ્લોટમાં અવાવરું જગ્યાએ યુવકનો મૃતદેહ પડ્યો હતો.ઘટનાને પગલે આનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે યુવાનની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનું અનુંમાન લગાવવામા આવી રહ્યું છે.

સમગ્ર ઘટનાની જાણ આનંદનગર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઈ હોય તેવું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. FSLની ટીમ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ મૃતદેહ અંદાજિત 15 દિવસ પહેલાનો છે.

આનંદનગર પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં સ્થળ પર જઈને પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આઆ અવવારું ખુલ્લા પાર્ટી પ્લોટમાં અજાણ ઇસમો ફેંકી ગયા હોય શકે છે. જે બાદ હવે પોલીસ દ્વારા આઅ મૃતદેહને ફેંકી જનારા ઇસમોને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશામાં તપાસ કરવા માટે અલગ અલગ ટીમને કામ સોંપી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...