Tuesday, January 20, 2026

દિવાળીના વેકેશનમાં ‘ડોક્ટર ઓન કોલ’ સેવામાં આ તબીબો રહેશે હાજર, વાંચો આ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવારમાં જો કોઇ મેડિકલ ઇમરજન્સી આવે તો ગભરાશો નહીં. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અમદાવાદ મેડિકલ એસોસિયેશને (AMA) તહેવારના ટાણે મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં વિવિધ બ્રાન્ચના 53 તબીબોનું લિસ્ટ જાહેર કર્યું છે. તહેવારના સમયમાં ઇમરજન્સી કેસને તુરંત સારવાર મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ આવકારદાયક પહેલ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ AMA દ્વારા છેલ્લા 10-12 વર્ષથી દિવાળીના પાંચ દિવસ દરમિયાન દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી ‘ડોક્ટર ઓન કોલ’ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ એક સ્વૈચ્છિક સેવા છે. જેમાં ડોક્ટરો સ્વૈચ્છિક રીતે નામ નોંધાવે છે. આ વર્ષે 53 ડોક્ટરોએ નોંધણી કરાવી છે. જેઓ જુદા જુદા વિસ્તારોમાં વિવિધ સમયે માત્ર એક ફોન કોલ પર ઉપલબ્ધ રહેશે. આ વર્ષે તારીખ 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી એટલે કે પાંચ દિવસ દરમિયાન ‘ડોક્ટર ઓન કોલ’ સેવા ઉપલબ્ધ રહેશે.

AMA દ્વારા, છેલ્લા 10 વર્ષથી આ સેવા કાર્યરત છે. જેમાં દર વર્ષે પાંચ દિવસ દરમિયાન લગભગ 1000થી 1200 કેસ નોંધાતા હોય છે. જેમાં સરેરાશ રીતે દરરોજના 200-250 કોલ આવતા હોય છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે આ આંકડામાં વધારો નોંધાતો હોય છે. મુખ્યત્વે પાંચ દિવસ દરમિયાન દાઝવાના, ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી, ધુમાડાની એલર્જી વગેરે જેવા કેસ નોંધાતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...