Tuesday, January 20, 2026

સિંધુભવન રોડ પર રફ્તારચાલકોનો આતંક ! નબીરાએ રેસ લગાવી કર્યો અકસ્માત, સ્થાનિકોમાં રોષ

spot_img
Share

અમદાવાદ : દિવાળીના દિવસે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સિંધુભવન રોડને ફરી એકવાર નબીરાઓએ અમદાવાદના રસ્તાને રેસિંગ ટ્રેક બનાવી દીધો છે. સિંધુભવન રોડ પર રાતના 3 વાગ્યા બાદ એક અકસ્માત થયો હતો. જો કે આ અકસ્માત માટેનું કારણ કાર રેસ હતુ. બે લક્ઝુરિઅસ કારના ચાલકોએ રેસ લગાવી હતી અને આ જ દરમિયાન મર્સિડીઝ કારની ટક્કરે બે ગાડી આવી ગઈ.

રિપોર્ટ મુજબ સિંધુભવન રોડ પર નબીરાઓ લોકોના જીવ જોખમમાં મુકી રેસ લગાવી રહ્યા છે. ગઈકાલે દિવાળીના દિવસે મોડીરાતે 3:26 વાગ્યે રેસિંગના ચક્કરમાં 2 કાર અથડાઈ હતી. જેમાં નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર ચલાવી બે કારને અડફેટે લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ રિશીત પટેલ નામના નબીરાએ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ તરફ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિએ આરોપ લગાવતા કહ્યું છે કે, અકસ્માત બાદ કારની નંબર પ્લેટ પણ બદલી દેવામાં આવી હતી. આ સાથે રિશીત પટેલના માણસોએ આવી લોકોને ધમકાવ્યા હતા. તેમણે કહ્યું કે, મારી કારને ટક્કર મારી અને કાર ચાલક નશાની હાલતમાં હતો. આ સાથે તેમણે કહ્યું કે, કારની રેસ કરતી વખતે અકસ્માત કર્યો. આ તો કારનું ટાયર ફાટયું એટલે ગાડી ઊભી રાખી નહીં તો ભાગી જાત.

જો કે આ અકસ્માત બાદ સવાલ એ થાય છે કે ક્યાં સુધી આ નબીરાઓ બીજાના જીવને જોખમમાં મુકતા રહેશે. અમદાવાદના રસ્તાઓ પર નીકળી પડતાં આ નબીરાઓ તદ્દન બેજવાબદારીભર્યું વર્તન કરે છે. જેનો ભોગ નિર્દોષ લોકો બને છે. આવા નબીરાઓ પર હવે કાયદાએ ગાળિયો કડક કરવાની જરૂર જણાઇ રહી છે. જેથી તેમની મજા કોઈ માટે સજા ન બને.

મહત્વનું છે કે, ઇસ્કોન બ્રિજ પર અગાઉ તથ્ય પટેલે ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. તથ્યકાંડ બાદ પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવી પરંતુ તે માત્ર નામની બની રહી હોય તેવી સ્થિતિ બની છે. થોડા દિવસો ડ્રાઇવ ચાલી અને ત્યાર બાદ ફરી નબીરાઓ બેફામ બન્યા છે. આ તરફ ફરી એકવાર નબીરાઓને જાણે કોઈ ડર જ ન હોય તેમ બેફામ બનતા હોય હવે પોલીસની કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...