Tuesday, October 14, 2025

સિંધુભવન રોડ પર રફ્તારચાલકોનો આતંક ! નબીરાએ રેસ લગાવી કર્યો અકસ્માત, સ્થાનિકોમાં રોષ

Share

અમદાવાદ : દિવાળીના દિવસે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સિંધુભવન રોડને ફરી એકવાર નબીરાઓએ અમદાવાદના રસ્તાને રેસિંગ ટ્રેક બનાવી દીધો છે. સિંધુભવન રોડ પર રાતના 3 વાગ્યા બાદ એક અકસ્માત થયો હતો. જો કે આ અકસ્માત માટેનું કારણ કાર રેસ હતુ. બે લક્ઝુરિઅસ કારના ચાલકોએ રેસ લગાવી હતી અને આ જ દરમિયાન મર્સિડીઝ કારની ટક્કરે બે ગાડી આવી ગઈ.

રિપોર્ટ મુજબ સિંધુભવન રોડ પર નબીરાઓ લોકોના જીવ જોખમમાં મુકી રેસ લગાવી રહ્યા છે. ગઈકાલે દિવાળીના દિવસે મોડીરાતે 3:26 વાગ્યે રેસિંગના ચક્કરમાં 2 કાર અથડાઈ હતી. જેમાં નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર ચલાવી બે કારને અડફેટે લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ રિશીત પટેલ નામના નબીરાએ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ તરફ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિએ આરોપ લગાવતા કહ્યું છે કે, અકસ્માત બાદ કારની નંબર પ્લેટ પણ બદલી દેવામાં આવી હતી. આ સાથે રિશીત પટેલના માણસોએ આવી લોકોને ધમકાવ્યા હતા. તેમણે કહ્યું કે, મારી કારને ટક્કર મારી અને કાર ચાલક નશાની હાલતમાં હતો. આ સાથે તેમણે કહ્યું કે, કારની રેસ કરતી વખતે અકસ્માત કર્યો. આ તો કારનું ટાયર ફાટયું એટલે ગાડી ઊભી રાખી નહીં તો ભાગી જાત.

જો કે આ અકસ્માત બાદ સવાલ એ થાય છે કે ક્યાં સુધી આ નબીરાઓ બીજાના જીવને જોખમમાં મુકતા રહેશે. અમદાવાદના રસ્તાઓ પર નીકળી પડતાં આ નબીરાઓ તદ્દન બેજવાબદારીભર્યું વર્તન કરે છે. જેનો ભોગ નિર્દોષ લોકો બને છે. આવા નબીરાઓ પર હવે કાયદાએ ગાળિયો કડક કરવાની જરૂર જણાઇ રહી છે. જેથી તેમની મજા કોઈ માટે સજા ન બને.

મહત્વનું છે કે, ઇસ્કોન બ્રિજ પર અગાઉ તથ્ય પટેલે ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. તથ્યકાંડ બાદ પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવી પરંતુ તે માત્ર નામની બની રહી હોય તેવી સ્થિતિ બની છે. થોડા દિવસો ડ્રાઇવ ચાલી અને ત્યાર બાદ ફરી નબીરાઓ બેફામ બન્યા છે. આ તરફ ફરી એકવાર નબીરાઓને જાણે કોઈ ડર જ ન હોય તેમ બેફામ બનતા હોય હવે પોલીસની કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...