Sunday, January 18, 2026

અમદાવાદ ફરી શર્મશાર, પાડોશી દ્વારા 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા, સ્થાનિકોમાં આક્રોશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વટવા વિસ્તારમાં હેવાનિયતની હદ વટાવટો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પડોશમાં રહેતા વ્યક્તિએ 7 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ વટવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લોકો નરાધમને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી સાત વર્ષીય બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી. ત્યારે બાજુમાં રહેતો ઉમાશંકર સહાના નામનો નરાધમ બાળકીને લાલચ આપીને ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેથી બાળકી બૂમા બૂમ કરતા નરાધમ ગભરાઈ ગયો હતો અને બાળકીનું મોઢું-ગળું દબાવ્યું હતું.આ દરમ્યાન વધારે દબાણ આવતા બાળકીનો શ્વાસ રૂંધાઇ જવાથી તેનું આરોપીના ઘરમાં જ મોત થઈ ગયું હતું.

મોડે સુધી બાળકી ઘરે ન આવતા માતા-પિતાએ તેની શોધખોળ હાથ ધરી હતી. બાળકી અવારનવાર ઉમાશંકરના ઘરે રમવા જતી હોવાથી માતા-પિતા તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઘરમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. તો બાળકીના કપડા વેરવિખેર હતા અને ગુપ્તભાગમાં ઈજાઓ થયેલી હતી. જેથી માતા-પિતા સહિત આજુબાજુના લોકોએ પાડોશી નરાધમની બરાબરની ધોલાઈ કરી હતી. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા વટવા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, બાળકીનો પરિવાર થોડા દિવસ અગાઉ જ બિહારથી અમદાવાદ આવ્યો હતો. બાળકી પોલિયોથી પીડાતી હતી, જેથી તેની સારવાર માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો. હાલ પોલીસે નરાધમને ઝડપી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...