Saturday, January 24, 2026

અમદાવાદમાં રમાનાર World Cupની ટ્રોફી જીતનાર અને રનર અપ ટીમને આટલા રૂપિયા મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રવિવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં World Cup ફાઈનલ જંગમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાવાની છે. જેના પગલે ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક હસ્તીઓ દેશ-વિદેશથી આવશે. બીજી તરફ આ મેચ જે ટીમ જીતશે તેના પર પૈસાનો વરસાદ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ICCની જાહેરાત મુજબ વર્લ્ડકપ વિજેતા ટીમને 33 કરોડ રુપિયા જ્યારે ફાઈનલ મેચમાં હારનાર ટીમને 16.65 કરોડ રૂપિયા મળશે. ગ્રુપ સ્ટેજની મેચો જીતીને સેમી ફાઈનલમાં પ્રવેશનારી ટીમોને 6.66 કરોડ મળ્યા છે, જેમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ટીમનો સમાવેશ થાય છે. આ સાથે જ ગ્રૂપ રાઉન્ડમાં બહાર થઈ ગયેલી ટીમોને પણ પૈસા મળ્યા છે. જેમાં ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેધરલેન્ડ અને બાંગ્લાદેશને 83.29 લાખ મળ્યા હતા. ICCએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. જેણે ટુર્નામેન્ટ માટે રૂ. 83.29 કરોડનું બજેટ નક્કી કર્યું હતું.

ભારત 2003નો બદલો લેવા મેદાનમાં ઉતરશે
નોંધનીય છે કે, વન-ડે World Cup ની ફાઈનલ મેચમાં બીજી વખત ભારત અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ખેલાઈ રહ્યો છે. 2003માં World Cup ફાઇનલમાં બંને ટીમ ટકરાઈ હતી. જેમાં ભારતનો પરાજય થયો હતો. પરિણામે આવતીકાલે ભારત આ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.

PM મોદી પણ ફાઇનલ મેચ જોવા આવશે
PM નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી સાંજે 4.30થી 5 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. સાંજે 5 વાગ્યા બાદ ગમે ત્યારે અનુકૂળતા મુજબ વર્લ્ડ કપ ફાઇનલમાં હાજરી આપશે.

આ સેલિબ્રિટી અને ક્રિકેટર્સ પણ ફાઇનલ મેચમાં હાજર રહી શકે
વર્લ્ડકપ ફાઇનલ મેચને જોવા માટે ક્રિકેટર્સમાં સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, કપિલ દેવ, હાજર રહી શકે છે. અને સેલિબ્રિટીમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, કમલ હાસન, મોહનલાલ, વેંકટેશ, નાગાર્જુન, રામચરણ હાજર રહી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...