Sunday, January 18, 2026

World Cup ફાઇનલ મેચ જોવા જતા પહેલા આ વાંચી લો, આ વસ્તુઓ સ્ટેડિયમમાં લઇ જવા પર છે પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : આજે અમદાવાદ માટે ઐતિહાસિક ક્ષણ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ક્રિકેટનો ફાઈનલ જંગ આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાનો છે. આ ફાઈનલ ક્રિકેટ જંગનો ફિવર ક્રિકેટપ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે. આજે બપોરે બે વાગે શરૂ થનારી મેચ માટે સવારથી જ લોકો સ્ટેડિયમમાં પોતાની જગ્યા લેવાનું શરૂ કરી દેશે. જો તમે પણ મેચ જોવા જવાના હોવ કે તમારું કોઇ પરિચિત મેચ જોવાનું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે નહીં તો સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં મળે.

સ્ટેડિયમની અંદર પ્રવેશતી વખતે વ્યક્તિ પાસે કોઈપણ પ્રકારની વધારાની વસ્તુ ન હોવી જોઈએ. જેવી કે ખતરનાક વસ્તુ, શસ્ત્રો, ધ્વજની લાંબી લાકડી, હોર્ન્સ, વ્હીસલ, સંગીતના સાધનો, મેટલ કેન્સ, કાચ કે પ્લાસ્ટિકની બોટલો, અપમાનજનક કે રાજકીય સાઈનેજ, ડ્રોન, ચાર્જિંગ ડિવાઈસ, પાવર બેંક, બેગ (નાના લેડીઝ પર્સ સિવાય) વગેરે.

આ ઉપરાંત કોઇ પ્રાણી, રોકડા રૂપિયા, પરફ્યુમ કે મેકઅપની વસ્તુઓ (100 મિલી કરતા મોટી વસ્તુ), વીડિયો કે ફોટોગ્રાફિક કે ઓડિયોના સાધનો (મોબાઇલ ફોન સિવાય), દૂરબીન, ફૂડ, હેલ્મેટ, છત્રી, ઇલેક્ટ્રિકલ સામાન (હેડફોન સિવાય), સેલ્ફી સ્ટિક, કોઈન્સ, નશાકારક પદાર્થ જેમ કે સિગારેટ, તમાકુ, ગુટકા તથા જ્વલનશીલ વસ્તુઓ જેવી કે લાઈટર, માચીસ વગેરે સાથે પણ સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં.

મહિલા દર્શકના જો પર્સમાંથી મેકઅપનો સામાન નીકળશે તો તેને ડસ્ટબિનમાં સ્વાહા કરી દેવામાં આવશે. મહિલા દર્શકને સ્ટેડિયમમાં એક નાની એવી લિપસ્ટીક તો સાથે પુરુષોને કાંસકો પણ નહીં લઈ જવા દે. આ સાથે જ તમારી મનપસંદ ટીમ કે પછી ખેલાડીને સપોર્ટ કરવા બેનર, ઝંડા, પોસ્ટર લઈ જઈ શકશો પરંતુ, ઝંડો લગાવવાની સ્ટિક કે અન્ય વસ્તુ નહીં લઈ જઈ શકશો.

સવારના 10 વાગ્યાથી લોકોને ધીમે-ધીમે સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેડિયમની અંદર અને બહાર ગોઠવવામાં આવ્યો છે. કડક બંદોબસ્ત વચ્ચેથી સ્ટેડિયમમાં જે પણ લોકો મેચ જોવા માટે આવી રહ્યા છે, તેઓને માત્ર પર્સ, મોબાઈલ અને ચાવી આટલી જ ચીજવસ્તુઓ લઈને પ્રવેશ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...