Wednesday, January 14, 2026

રાણીપમાં માતાએ પ્રેમી સાથે મળીને કર્યું પોતાના 4 વર્ષના બાળકનું અપહરણ, વાંચો અહેવાલ

spot_img
Share

અમદાવાદ : આપણી સામે વારંવાર ‘પતિ, પત્ની અને વો’ ના કિસ્સાઓ આવતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી સામે આવ્યો છે. એક મહિલાએ તેમના પ્રેમી સાથે મળીને તેના જ પુત્રનું અપહરણ કર્યું હતું. આ બાદ પતિના પરિવારના સભ્યો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા બાળકને છોડાવી લેવામાં આવ્યું હતું.

ઘટના એવી છે કે રાણીપ વિસ્તારમા 4 વર્ષનો બાળક ઘરે દાદા-દાદી સાથે રમી રહયો હતો. ત્યારે આરોપી માતા જયશ્રી મૌર્ય અને તેનો પ્રેમી દિનેશ પરમાર અને તેમનો મિત્ર મનોજ ઉર્ફે કાળુ રિક્ષામાં આવ્યા હતા. જેઓ બાળકના દાદા-દાદીને છરી બતાવીને 4 વર્ષના બાળકનુ અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. જે ઘટનાની જાણ પરિવારે પોલીસને કરતા પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને તાત્કાલિક શોધખોળ શરૂ કરી. અને પોલીસ કંટ્રોલ માંથી ઘટનાના મળેલા મેસેજના કલાકોમાં જ જયશ્રી અને દિનેશની પોલીસે ધરપકડ કરીને બાળકને કલોલ થી મુક્ત કરાવી પિતાને સોંપ્યો હતો.

રાણીપ પોલીસે મહિલા અને બે શખ્સો સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ કરી ત્યારે મહિલા કલોલમાં તેના પ્રેમી સાથે લિવઇનમાં રહેતી હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતું. જેથી પોલીસે એક ટીમ ત્યાં મોકલતા મહિલા અને દિનેશ નામના આરોપીને શોધી કાઢ્યા હતા. આરોપીની ધરપકડની સાથે સાથે પોલીસે બાળકને પણ છોડાવ્યું હતું અને તેના પિતાને સોંપવામાં આવ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલા આરોપી રાણીપ વિસ્તારમાં જ પતિ સાથે રહેતી હતી. પતિ વશરાજ મૌર્ય સાથે જયશ્રીના લગ્ન 2016માં સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા, તેમનો એક 4 વર્ષનો દિકરો પણ છે, પરંતુ જયશ્રી અને તેના પ્રેમી દિનેશ પરમાર સાથે પરિચયમાં આવતા તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બાદ, જયશ્રી પ્રેમીને પામવા 4 વર્ષના દિકરાને છોડી પ્રેમી સાથે નાસી ગઈ હતી. બાદમાં છ માસ સુધી જયશ્રી અને દિનેશ લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહ્યા હતા, પ્રેમીને મેળવ્યા બાદ જયશ્રી પોતાના 4 વર્ષના દિકરાને પણ સાથે રાખવા માંગતી હતી.

આથી જ, પ્રેમી સાથે મળીને તેણે બાળકનું અપહરણ કર્યુ હતું, પરંતુ કાયદાકીય પ્રક્રિયાથી બાળકને મેળવવાને બદલે ગુનાહિત કૃત્ય કરતા પોલીસે ગુનો નોંધીને બન્ને આરોપીની ધરપકડ કરી છે. હાલ રાણીપ પોલીસે બાળકના અપહરણ કેસમાં જયશ્રી અને દિનેશ પરમારની ધરપકડ કરી છે, જયારે મનોજ ઉર્ફે કાલી હજુ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત, બાળકના અપહરણ પાછળના કારણોની અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...