Wednesday, September 17, 2025

લોકોએ ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે ? માસ્કને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

Share

Share

અમદાવાદ : હવે રાજ્યમાં કોરોના કેસ નહિવત્ સામે આવી રહ્યાં છે. તો રાજ્યમાં કોરોનાને લીધે લાગેલા તમામ પ્રતિબંધો પણ દૂર કરી દેવામાં આવ્યા છે. રાજ્યના કોઈપણ શહેરમાં કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો હટી ગયા છે. દુકાનો, રેસ્ટોરન્ટ, સિનેમા, ફરવાના સ્થળો ધામધૂમથી ચાલી રહ્યાં છે. તો સામાજિક પ્રસંગો સહિત અન્ય પ્રસંગોમાં હાજરીની કોઈ મર્યાદા નથી. પરંતુ આ વચ્ચે લોકોને એક સવાલ છે કે માસ્ક ક્યારે હટશે ? માસ્કને લઈને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહત્વની વાત કહી છે.

ગુરુવારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ હતું કે, રાજ્યમાં કોરોનાને લગતા તમામ નિયમો હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ હાલના તબક્કે તમામ લોકોએ માસ્ક ફરજીયાત પણે પહેરવું પડશે. રાજ્ય સરકારે હજુ માસ્કમાંથી મુક્તિ આપી નથી. ચીન જેવા દેશમાં ફરી કોરોના કેસ વધી રહ્યાં છે. ત્યારે કોરોનાની ચોથી લહેરની પણ આશંકા રહેલી છે. તેવામાં રાજ્ય સરકાર હાલ માસ્કમાં છુટ આપશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...