Friday, January 16, 2026

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતા વધારવા રૂપિયા 10 કરોડનો ખર્ચ કરાશે, રાત્રે રિવરફ્રન્ટનો પશ્ચિમ વિસ્તાર ઝળહળી ઉઠશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓને ગ્લો ગાર્ડન જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ધક્કો ખાવો નહીં પડે. સાબરમતી રિવરફ્રન્ટને દિવસે દિવસે વધુ સુંદર બનાવવાના પ્રયાસો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, ફુટ બ્રિજ સહિત અનેક આકર્ષણો છે. રિવરફ્રન્ટ દર વર્ષે પતંગોત્સવ સહિત ઉત્સવો પણ ઊજવાતા હોય છે. હવે રિવરફ્રન્ટની સુંદરતા વધારવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રૂપિયા 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં આકર્ષક રંગબેરંગી લાઈટ્સ,ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટેન સહિતના આકર્ષણો ઊભા કરાશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાબરમતી રિવરફ્રન્ટ પર લોકોને વધુ સારું નજરાણું અને ફરવા માટે વધુ આકર્ષણો મળે તે હેતુથી હવે ગ્લો ગાર્ડન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટના ફ્લાવર પાર્કમાં 3.5 કરોડના ખર્ચે લાઇટિંગ સાથેનું ગાર્ડન બનાવવામાં આવશે. વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટોની મદદથી તૈયાર કરાશે. જુદી જુદી થીમ પર પ્રાણી-પક્ષી, વૃક્ષ, કાર્ટૂન પાત્ર સહિતની અલગ અલગ કેટેગરીના લાઇટિંગ સ્કલ્પ્ચર તૈયાર કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શનિ-રવિ અને તહેવારોની રજા દરમિયાન જે રીતે લોકોમાં કરોડો રૂપિયાના ખર્ચે લાઇટિંગ સાથે બનેલું ગ્લો ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. હવે અમદાવાદમાં પણ લોકો માટે ગ્લો ગાર્ડન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડનની સાથે હવે મ્યુઝિકલ ફાઉન્ટેન પણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુઝિકલ લાઈટ એન્ડ સો સાથે આ મ્યુઝિકલ ફાઉન્ટેન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાબરમતી અટલ ફૂટ ઓવર બ્રિજ નજીક આ મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. મ્યુઝિકલ ફાઉન્ટેનમાં રંગબેરંગી લાઈટો સાઉન્ડ સિસ્ટમ સાથે પાણીની છોડો ઉછળે તેવા અદભુત નજારાને હવે અમદાવાદીઓ માણી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...