Sunday, March 15, 2026

અમદાવાદીઓ માટે ખુશ ખબર : શહેરના ઈન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં શરૂ કરાશે 12 ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. AMC દ્વારા 10 ટકા રેવન્યુ શેરિંગ સાથે પીપીપી ધોરણે શહેરમાં વિવિધ વિસ્તારોમાં 12 જેટલા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં તેના ચાર્જિંગના દર વગેરે નક્કી કરી અને ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.

AMC દ્વારા ચાલુ વર્ષના બજેટમાં વિવિધ વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શહેરના એર પોલ્યુશનમાં ઘટાડો થાય તે હેતુસર કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરીને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવા માટે વધુને વધુ નાગરિકો તૈયાર થાય હેતુસર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરનારની સરળતા અને સગવડતા માટે AMC દ્વારા 10 ટકા રેવન્યુ શેરિંગ સાથે પીપીપી ધોરણે શહેરમાં વિવિધ વિસ્તારોમાં 12 જેટલા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં તેના ચાર્જિંગના દર વગેરે નક્કી કરી અને ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.

ક્યાં બનશે ચાર્જિંગ સ્ટેશન

સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ
નરોડા હરિદર્શન ક્રોસ રોડ
કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ
પ્રહલાદનગર ગાર્ડન પાસેના મલ્ટી લેવલ પાર્કિંગ
ઇસનપુર ગોવિંદવાડી સર્કલ
ગુજરાત વિદ્યાપીઠ પાસે ઈન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રિજ
નિકોલ-નરોડા રોડ રોઝ વેલી સ્કાય પાસે
નારોલ ફ્લાયઓવર બ્રિજ નીચે
CTM ફ્લાયઓવર બ્રિજ નીચે
ચાંદખેડામાં ન્યુ CG રોડ
મોટેરામાં કોટેશ્વર રોડ
બાપુનગર ફ્લાયઓવર બ્રિજ નીચે

કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા નવી EV પોલીસી તૈયાર કરવામાં આવી છે. આ તરફ આ પોલીસીને લઈ હવે ગુજરાત સહિત દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા PPP ધોરણે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અહેવાલો મુજબ અત્યાર સુધી 9 ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર થઈ ગયા છે જ્યારે બાકીના 3 આગામી દિવસોમાં ઝડપથી બનીને તૈયાર થઈ જશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...