અમદાવાદ : અમદાવાદ મેટ્રો કનેક્ટિવિટીને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ ફેઝ-2નું કામ તેના અંતિમ તબક્કામાં છે. હાલ અમદાવાદ-ગાંધીનગરવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે કે મેટ્રો રેલ ફેઝ-2 નું ટ્રાયલ એપ્રિલ માસમાં શરૂ થશે. ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદી પર મેટ્રો બ્રિજનું કામ તેના છેલ્લા તબક્કામાં છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2નું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.ત્યારે હાલ અમદાવાદથી ગાંધીનગર ગીફ્ટ સિટી સુધીનાં મેટ્રોનાં રૂટની કામગીરીને અપડેટ આવી રહ્યું છે. એપ્રિલમાં કામગીરી પૂર્ણ થયા બાદ આ રુટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો શરૂ થવાથી લાખો લોકોને ખૂબ જ રાહત મળશે.સાબરમતી નદી પર બ્રિજનાં 23 માંથી 22 સ્પાન લગાવી દેવાયા છે. બ્રિજનાં સ્પાનની કામગીરી પૂર્ણ થયા બાદ આગળની કામગીરી હાથ ધરાશે. મેટ્રોની રેલિંગ, પાટા અને સિગ્રનલનાં સપ્લાયનું કામ જલ્દી શરૂ કરાશે.
અમદાવાદ મેટ્રે ફેઝ-2 માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 અને ગિફ્ટ સીટીનાં 20 કિ.મી. ની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે. હાલ સાબરમતી નદી તેમજ નર્મદા નદી ઉપર બે મોટા પુલોની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે. નવા વર્ષમાં એપ્રિલ માસમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રે દોડતી થવાની શક્યતા છે.