Thursday, March 5, 2026

આજથી 15 જાન્યુઆરી સુધી રિવરફ્રન્ટના ગાર્ડનમાં ફ્લાવર શો, સ્કેન કરી ઓનલાઈન ટિકીટ મેળવી શકાશે, જુઓ PHOTOS

spot_img
Share

અમદાવાદ : આજથી અમદાવાદ શહેરમાં ફ્લાવર શો યોજાઇ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સન 2013 થી એટલે કે છેલ્લા 10 વર્ષથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે 11 માં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટરમાં મ્યુનિ.તંત્ર દ્વારા આજથી 15 જાન્યુઆરી સુધી 11માં રંગબેરંગી ફ્લાવર શો રાજયના મુખ્યમંત્રી દ્વારા આરંભ કરાવાશે.

30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે. અને જો લોકોની લાગણી હશે તો તેને લંબાવવામાં પણ આવશે. અમદાવાદમાં યોજનર આ ફ્લાવર શોમાં પહેલીવાર 15 લાખથી વધુ ફૂલ છોડ શહેરીજનોને જોવા મળશે. શહેરમાં યોજાયેલા આ ફ્લાવર શોમાં 20 જેટલી અવનવી થીમ ઉપર સુંદર અને નયનરમ્ય પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલ જણાવે છે કે અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો શેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ, વિક્રમ લેન્ડર (ચંદ્રયાન 3)ની પ્રતિકૃતિ જેવા આગવા આકર્ષણો જોવા મળશે.

અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમ ઉપર બનાવેલ મુખ્ય પ્રવેશદ્વાર, બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, સાત ઘોડાની પ્રતિકૃતિ, પતંગિયા ની પ્રતિકૃતિ વગેરે થીમની પ્રતિકૃતિઓ વિશેષ આકર્ષણ જમાવશે.

ફ્લાવર શોમાં જોવા મળતી આ તમામ પ્રતિકૃતિઓ વિવિધ પ્રકારના ફ્લાવર બેટ સાથે જુદા જુદા લેન્ડસ્કેપમાં બનાવવામાં આવી છે. આ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ પીટુનીયા, ડાયન્થસ જેવા ફૂલોની જાતના આશરે 7 લાખથી વધુ ફુલોના રોપાઓ દ્વારા 700 મીટર લાંબુ એક સુંદર મજાનું ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના ફ્લાવર શોમાં વિવિધ ફૂલ છોડો ની સાથે પ્રાઇવેટ નર્સરીના વિવિધ સ્ટોલ, જંતુનાશક દવાઓ માટેની માહિતી, જુદી જુદી જાતના બિયારણ, ગાર્ડનિંગ કરવા માટેના સાધનો વગેરેના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરીજનોને ફ્લાવર શોમાં ફરવા ઉપરાંત રિફ્રેશમેન્ટ માટે વિવિધ ફૂડ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.

આ ફ્લાવર શોમાં સેવંતી, વીમ્કા, ગજેનીયા, કોલિયસ, તોરણિયા, અર્ચીડ, જલબેરા, લીલીયસ, મારીગોલ્ડ, એન્થુરીનીયમ, એમરેન્સ લીલી જેવા આશરે 15 લાખ વધુ ફૂલછોડ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ વખતના ફ્લાવર શોમાં જર્મની, આફ્રિકા, સિંગરપુર, યુરોપિયન દેશો વગેરેમાંથી 30થી વધારે વિદેશી ફૂલ છોડની જાતો લોકોને જોવા મળશે.

આ ફ્લાવર શો માટે પ્રવેશ ફી સોમવાર થી શુક્રવાર માટે 50 રાખવામાં આવી છે. જ્યારે શનિ અને રવિ માટે રૂપિયા 75 રાખવામાં આવી છે. 12 વર્ષથી નાના બાળકો માટે તથા શાળાના પ્રવાસ માટે આવનાર બાળકો માટે પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવ્યો છે. શેરીજનોને પ્રવેશ ટિકિટ ખરીદવામાં સરળતા રહે તે માટે શહેરના દરેક સીટી સિવિક સેન્ટર ઉપર તથા સ્થળ ઉપર જ સ્કેન કરીને ઓનલાઈન ટિકિટ મેળવી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...