Saturday, January 24, 2026

આજથી 15 જાન્યુઆરી સુધી રિવરફ્રન્ટના ગાર્ડનમાં ફ્લાવર શો, સ્કેન કરી ઓનલાઈન ટિકીટ મેળવી શકાશે, જુઓ PHOTOS

spot_img
Share

અમદાવાદ : આજથી અમદાવાદ શહેરમાં ફ્લાવર શો યોજાઇ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સન 2013 થી એટલે કે છેલ્લા 10 વર્ષથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે 11 માં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટરમાં મ્યુનિ.તંત્ર દ્વારા આજથી 15 જાન્યુઆરી સુધી 11માં રંગબેરંગી ફ્લાવર શો રાજયના મુખ્યમંત્રી દ્વારા આરંભ કરાવાશે.

30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે. અને જો લોકોની લાગણી હશે તો તેને લંબાવવામાં પણ આવશે. અમદાવાદમાં યોજનર આ ફ્લાવર શોમાં પહેલીવાર 15 લાખથી વધુ ફૂલ છોડ શહેરીજનોને જોવા મળશે. શહેરમાં યોજાયેલા આ ફ્લાવર શોમાં 20 જેટલી અવનવી થીમ ઉપર સુંદર અને નયનરમ્ય પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલ જણાવે છે કે અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો શેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ, વિક્રમ લેન્ડર (ચંદ્રયાન 3)ની પ્રતિકૃતિ જેવા આગવા આકર્ષણો જોવા મળશે.

અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમ ઉપર બનાવેલ મુખ્ય પ્રવેશદ્વાર, બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, સાત ઘોડાની પ્રતિકૃતિ, પતંગિયા ની પ્રતિકૃતિ વગેરે થીમની પ્રતિકૃતિઓ વિશેષ આકર્ષણ જમાવશે.

ફ્લાવર શોમાં જોવા મળતી આ તમામ પ્રતિકૃતિઓ વિવિધ પ્રકારના ફ્લાવર બેટ સાથે જુદા જુદા લેન્ડસ્કેપમાં બનાવવામાં આવી છે. આ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ પીટુનીયા, ડાયન્થસ જેવા ફૂલોની જાતના આશરે 7 લાખથી વધુ ફુલોના રોપાઓ દ્વારા 700 મીટર લાંબુ એક સુંદર મજાનું ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના ફ્લાવર શોમાં વિવિધ ફૂલ છોડો ની સાથે પ્રાઇવેટ નર્સરીના વિવિધ સ્ટોલ, જંતુનાશક દવાઓ માટેની માહિતી, જુદી જુદી જાતના બિયારણ, ગાર્ડનિંગ કરવા માટેના સાધનો વગેરેના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરીજનોને ફ્લાવર શોમાં ફરવા ઉપરાંત રિફ્રેશમેન્ટ માટે વિવિધ ફૂડ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.

આ ફ્લાવર શોમાં સેવંતી, વીમ્કા, ગજેનીયા, કોલિયસ, તોરણિયા, અર્ચીડ, જલબેરા, લીલીયસ, મારીગોલ્ડ, એન્થુરીનીયમ, એમરેન્સ લીલી જેવા આશરે 15 લાખ વધુ ફૂલછોડ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ વખતના ફ્લાવર શોમાં જર્મની, આફ્રિકા, સિંગરપુર, યુરોપિયન દેશો વગેરેમાંથી 30થી વધારે વિદેશી ફૂલ છોડની જાતો લોકોને જોવા મળશે.

આ ફ્લાવર શો માટે પ્રવેશ ફી સોમવાર થી શુક્રવાર માટે 50 રાખવામાં આવી છે. જ્યારે શનિ અને રવિ માટે રૂપિયા 75 રાખવામાં આવી છે. 12 વર્ષથી નાના બાળકો માટે તથા શાળાના પ્રવાસ માટે આવનાર બાળકો માટે પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવ્યો છે. શેરીજનોને પ્રવેશ ટિકિટ ખરીદવામાં સરળતા રહે તે માટે શહેરના દરેક સીટી સિવિક સેન્ટર ઉપર તથા સ્થળ ઉપર જ સ્કેન કરીને ઓનલાઈન ટિકિટ મેળવી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...