Friday, January 23, 2026

ઉસ્માનપુરામાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખ ચોરી તસ્કરો ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક બાદ એક ચોરી અને લૂંટ તથા ચીલઝડપના કિસ્સા સામે આવી રહ્યા છે.તેવામાં અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં એક વાહનની ડેકીમાંથી યુવકના ધંધાના 15 લાખ રૂપિયા અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા છે જેને લઈ વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદનાં રાણીપમાં રહેતા શાબાઝ શકીલ કુરેશી તેમના માસીના દીકરાના ત્યાં કામ કરે છે. રાણીપના બકરા મંડીમાં શાબાઝભાઈ નોકરી કરે છે. તેમના ત્યાં પશુઓની લે વેચના નાણાં આંગડિયા પેઢીમાં આવ્યા હતા. તે 15 લાખ રૂપિયા તેઓ સીજી રોડ પર આંગડિયા પેઢીમાં લેવા ગયા હતા. આંગડિયા પેઢીમાંથી નાણાં લઈને શાબાઝ ભાઈ નીકળ્યા અને ઉસ્માનપુરા પહોંચ્યા હતાં. ત્યાં દરગાહ બહાર વાહન પાર્ક કર્યા બાદ તેઓ દરગાહમાં પહોંચ્યા હતા.

થોડીવારમાં દરગાહમાંથી બહાર આવીને જોયું ત્યારે એક્ટિવાની ડેકી ખુલ્લી હતી અને તેમાં રહેલા 15 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. બાઈક ચાલક શખ્સ જ અકસ્માતના બહાને રૂપિયા લઈ ગયો હોવાનું શાબાઝ ભાઈના ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી.વાડજ પોલીસ બનાવની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસીને આગળની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...