Sunday, January 25, 2026

રિવરફ્રન્ટ પર સેલ્ફી લેતા યુવાનો સાવધાન ! વોક વે પાસે પત્નીની નજર સામે પતિ પાણીમાં ડુબ્યો

spot_img
Share

અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર વિચિત્ર ઘટના બનવા પામી હતી. એક યુવક તેની પત્ની સાથે બપોરના સમયે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો. રિવરફ્રન્ટ પર ફર્યા બાદ યુવક અને તેની પત્ની વોક વે પાસે પહોંચ્યા હતા. ત્યારે ફોટો પાડતી વખતે વોક વે પાસે પગ લપસતા યુવક નદીના પાણીમાં પડી ગયો હતો. ત્યાં આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું. જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઘોડાસર આવકાર હોલ પાસે આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યશ કંસારા અને તેની પત્ની સોમવારે સાંજે રિવરફ્રન્ટ પર ફરવા માટે આવ્યા હતા. જેમાં ઇસ્ટ વોક વે પર ચાલતા ચાલતા જતા હતા ત્યારે રેલીંગ પર બેસીને યશ ફોટો પાડી રહ્યો હતો ત્યારે અચાનક પગ લપસી જતા તે પાણીમાં પડી ગયો હતો. આ સમયે તેની પત્ની અને આસપાસના લોકોએ બુમાબુમ કરીને તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. લગભગ બે થી ત્રણ મિનિટમાં ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્પીડ બોટ સાથે પહોંચી ગયો હતો અને બહોશ હાલતમાં યશને બહાર કાઢ્યો હતો.જો કે તેનું મરણ થયું હતું. આ અંગે રિવરફ્રન્ટ વેેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે, જેથી કોઈ બનાવ ન બને તે માટે સિક્યોરિટી ગાર્ડ પણ મૂકવામાં આવ્યા છે. જોકે ગાર્ડ માત્ર પાર્કિંગ વ્યવસ્થા સાચવી રહ્યા હોય છે અને લોકો જીવના જોખમે વોકવે પાસે જઈને ફોટોગ્રાફી અને ઈન્સ્ટાગ્રામ માટે રીલ બનાવતા હોય છે, તેમ છતાંય હાજર સિક્યોરિટી ગાર્ડ તેમને રોકતા ન હોવાની લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...