Sunday, November 16, 2025

અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા ચેતજો, આ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ ફૂડમાં મુખવાસમાંથી નીકળી ઇયળ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વંદા અને ઇયળો જેવા જીવજંતુઓ નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. દિન-પ્રતિદિન આવા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં ફરી એકવાર જાણીતી રેસ્ટોરન્ટમાંથી ઈયળ નીકળવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહકે ઓનલાઈન મગાવેલા ફૂડ પાર્સલમાંથી જીવાત નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. આ મામલે રેસ્ટોરન્ટને જાણ કરતા પૈસા પાછા આપીને મામલો રફેદફે કરવા માટે કહ્યું હતું. જો કે આ મામલે તેઓએ ઓનેસ્ટ અને કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સરખેજ વિસ્તારમાં રહેતા એક ગ્રાહકે ઓનલાઇન ફૂડ એપ ઉપરથી પંજાબી થાળીનો ઓર્ડર કર્યો હતો. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી પંજાબી થાળી મંગાવી હતી. ઓનેસ્ટમાંથી આવેલા ભોજનમાં સાથે મુખવાસનું પેકેટ પણ આવ્યું હતું. નવા ઓનલાઈન ફૂડમાંથી જીવજંતુ કે અન્ય ચીજ-વસ્તુઓ નીકળવાની ઘટનાના પગલે તેઓએ પહેલા ભોજન ચેક કર્યું હતું. ત્યારે મુખવાસનું પેકેટ ખોલતાં તેમાંથી ઇયળ નીકળી હતી. આ મામલે તેઓએ ઓનેસ્ટ રેસ્ટોરન્ટનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી.આ મામલે રેસ્ટોરન્ટને જાણ કરતા પૈસા પાછા આપીને મામલો રફેદફે કરવા માટે કહ્યું હતું જો કે આ મામલે તેઓએ ઓનેસ્ટ અને કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વંદા અને ઇયળો જેવા જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનવા છતાં બેફામ વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરી રહયા છે ત્યારે કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...