Thursday, January 15, 2026

અમદાવાદમાં પ્રથમ આઇકોનિક રોડ, એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના ભવ્ય માર્ગ આ સુવિધાઓથી સજ્જ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ અને ત્યાંથી બ્રિજ સુધીનો રસ્તો PPP મોડેલ પર વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ પર ધરવામાં આવ્યો છે. તેમાં PPP ધોરણે સૌપ્રથમ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવાયો છે.

વીવીઆઈપી મુવમેન્ટ માટે મહત્ત્વના એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સુધીની રોડને PPP ધોરણે આઈકોનિક બનાવાયો છે. મુખ્ય રોડ ઉપરાંત સર્વિસ રોડ, મલ્ટિ ફંકશન ઝોન ગ્રીલ, ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ, લેન્ડસ્ક્રેપિગ, સ્ટ્રીટ લાઈટ, વોટર બોડી, સ્ક્લ્પચર હોર્ડિંગ્સ પણ હવે મૂકાશે. આ સ્થળે મનોરંજનની પ્રવૃત્તિનો પણ વિકાસ કરાશે. PPP મોડલમાં આ સ્થળો જાહેરાતની આવકમાં 75 ટકાનો હિસ્સો કોન્ટ્રાક્ટર અને 25 ટકા હિસ્સો મ્યુનિ.નો રહેશે.1.85 કિલોમીટર લાંબો આઈકોનિક રોડ ડિવાઈડર ગ્રીલ સાથે બની ગયો હોવાથી રસ્તો ઓળંગવાની જગ્યા રહી નથી. પહેલા આ રોડ ટીપી પ્રમાણે 1200 મીટરનો હતો જે બાદ ત્યાં રી ડીપી હેઠળ 650 મીટર વધારીને પહોળો કરાયો છે. મ્યુનિ.એ રેકોર્ડ સમયમાં આ રોડ તૈયાર કરી દીધો છે.

અહીં ફક્ત રોડ જ નહીં વિકસે, સમગ્ર વિસ્તારનું ડેવલપમેન્ટ થશે. મનોરંજનની પ્રવૃત્તિ માટેના વિસ્તારનો વિકાસ, કિઓસ્ક, બસ સ્ટેન્ડ, બોલાર્ડ, કેટલ ટ્રેપ ગેન્ટ્રી, સેલ્ફી પોઇન્ટ, હાઉસ કીપિંગ, સ્ટ્રીટ લાઇટિંગ, એલઇડી લાઇટ સહિતની કામગીરી કરવામાં આવશે. તેની જાળવણીનો ખર્ચો 15 વર્ષ સુધી સંલગ્ન કંપની ઉઠાવશે.

આ આઇકોનિક રોડ ગાંધીનગર અને અમદાવાદ શહેરને જોડતો મુખ્ય માર્ગ છે. એરપોર્ટથી ગાંધીનગર તરફ વીવીઆઇપી અવર-જવર વધારે હોવાથી આ માર્ગને આઇકોનિક માર્ગ તરીકે વિકસાવાઈ રહ્યો છે. આ રોડને વિકસાવવા માટે રસ્તાની આસપાસના વિવિધ સ્ટ્રકચર્સને દૂર કરવામાં વ્યા હતા. તેમા 86 કોમર્સિયલ સ્ટ્રક્ચર, 112 રહેણાક, 13 મંદિર એમ કુલ 211 જેટલા સ્ટ્રકચર્સને દૂર કરવામાં આવ્યા છે.

PPP મોડેલ હેઠળ સુશોભિત લાઇટ, સેન્ટ્રલ વર્જની ગ્રીલ, સ્કલ્પચર્સ, લેન્ડસ્કેપિંગ, ટોપોગ્રાફી, વોટર ફાઉન્ટેન, વોટર બોડી, વોટર ફોલ, ટપક સિંચાઈ સહિતની સગવડો ઉપરાંત મલ્ટિ ફંકશનલ ઝોન, સેન્ટ્રલ વર્જ તથા ટ્રાફિક આયરલેન્ડ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...