Wednesday, March 4, 2026

અમદાવાદમાં પ્રથમ આઇકોનિક રોડ, એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના ભવ્ય માર્ગ આ સુવિધાઓથી સજ્જ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ અને ત્યાંથી બ્રિજ સુધીનો રસ્તો PPP મોડેલ પર વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ પર ધરવામાં આવ્યો છે. તેમાં PPP ધોરણે સૌપ્રથમ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવાયો છે.

વીવીઆઈપી મુવમેન્ટ માટે મહત્ત્વના એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સુધીની રોડને PPP ધોરણે આઈકોનિક બનાવાયો છે. મુખ્ય રોડ ઉપરાંત સર્વિસ રોડ, મલ્ટિ ફંકશન ઝોન ગ્રીલ, ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ, લેન્ડસ્ક્રેપિગ, સ્ટ્રીટ લાઈટ, વોટર બોડી, સ્ક્લ્પચર હોર્ડિંગ્સ પણ હવે મૂકાશે. આ સ્થળે મનોરંજનની પ્રવૃત્તિનો પણ વિકાસ કરાશે. PPP મોડલમાં આ સ્થળો જાહેરાતની આવકમાં 75 ટકાનો હિસ્સો કોન્ટ્રાક્ટર અને 25 ટકા હિસ્સો મ્યુનિ.નો રહેશે.1.85 કિલોમીટર લાંબો આઈકોનિક રોડ ડિવાઈડર ગ્રીલ સાથે બની ગયો હોવાથી રસ્તો ઓળંગવાની જગ્યા રહી નથી. પહેલા આ રોડ ટીપી પ્રમાણે 1200 મીટરનો હતો જે બાદ ત્યાં રી ડીપી હેઠળ 650 મીટર વધારીને પહોળો કરાયો છે. મ્યુનિ.એ રેકોર્ડ સમયમાં આ રોડ તૈયાર કરી દીધો છે.

અહીં ફક્ત રોડ જ નહીં વિકસે, સમગ્ર વિસ્તારનું ડેવલપમેન્ટ થશે. મનોરંજનની પ્રવૃત્તિ માટેના વિસ્તારનો વિકાસ, કિઓસ્ક, બસ સ્ટેન્ડ, બોલાર્ડ, કેટલ ટ્રેપ ગેન્ટ્રી, સેલ્ફી પોઇન્ટ, હાઉસ કીપિંગ, સ્ટ્રીટ લાઇટિંગ, એલઇડી લાઇટ સહિતની કામગીરી કરવામાં આવશે. તેની જાળવણીનો ખર્ચો 15 વર્ષ સુધી સંલગ્ન કંપની ઉઠાવશે.

આ આઇકોનિક રોડ ગાંધીનગર અને અમદાવાદ શહેરને જોડતો મુખ્ય માર્ગ છે. એરપોર્ટથી ગાંધીનગર તરફ વીવીઆઇપી અવર-જવર વધારે હોવાથી આ માર્ગને આઇકોનિક માર્ગ તરીકે વિકસાવાઈ રહ્યો છે. આ રોડને વિકસાવવા માટે રસ્તાની આસપાસના વિવિધ સ્ટ્રકચર્સને દૂર કરવામાં વ્યા હતા. તેમા 86 કોમર્સિયલ સ્ટ્રક્ચર, 112 રહેણાક, 13 મંદિર એમ કુલ 211 જેટલા સ્ટ્રકચર્સને દૂર કરવામાં આવ્યા છે.

PPP મોડેલ હેઠળ સુશોભિત લાઇટ, સેન્ટ્રલ વર્જની ગ્રીલ, સ્કલ્પચર્સ, લેન્ડસ્કેપિંગ, ટોપોગ્રાફી, વોટર ફાઉન્ટેન, વોટર બોડી, વોટર ફોલ, ટપક સિંચાઈ સહિતની સગવડો ઉપરાંત મલ્ટિ ફંકશનલ ઝોન, સેન્ટ્રલ વર્જ તથા ટ્રાફિક આયરલેન્ડ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...