Tuesday, April 28, 2026

આજથી અમદાવાદમાં રામમય માહોલ : નારણપુરા અને વેજલપુરમાં શોભાયાત્રા, ભવ્ય ડાયરાનું આયોજન

spot_img
Share

અમદાવાદ : ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થવાની છે જેને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યના વિવિધ શહેરોમાં ભગવાન રામના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ શોભાયાત્રા, સુંદરકાંડ, હવન અને ભવ્ય ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી ત્રણ દિવસ શહેરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમો શરૂ થયા છે.

અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શહેરમાં વિવિધ જગ્યાએ અનેક કાર્યક્રમોનું આયોજન હવે ત્રણ દિવસમાં યોજાઈ રહ્યો છે. ત્યારે આજે શહેરના વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રામરથ યાત્રાનું આયોજન ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા કરવામાં આવ્યું છે. 14×17 ફૂટની રામ ભગવાનની પ્રતિકૃતિ સાથે વેજલપુર વિસ્તારમાં ભવ્યયાત્રા બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી યોજાશે. જોધપુર ગામ, આનંદનગર, પ્રહલાદ નગર, જીવરાજ પાર્ક, મલાવ તળાવ સહિતના વિસ્તારોમાં આ યાત્રા ફરશે.

નારણપુરા વિસ્તારમાં 21 જાન્યુઆરીને સવારે 09.30 કલાકે, પ્રભુ શ્રીરામની નગર યાત્રા રેલીનું આયોજન હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન (હાર્ફ) દ્વારા કરવામાં આવ્યું છે. રામ ભગવાનની પ્રતિકૃતિ સાથે નારણપુરા વિસ્તારમાં ભવ્યયાત્રા સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી યોજાશે.આ નગરયાત્રા નારણપુરામાં આવેલ શાંતિનાથ મહાદેવ શાંતિ એપાર્ટમેન્ટ થી શરૂ થશે, આદર્શનગર, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, પ્રતીક્ષા એપાર્ટમેન્ટ, કાંકરિયા હનુમાનજી મંદિર(સોલા કોમ્પલેક્ષ), આસોપાલવ એપાર્ટમેન્ટના પંચદેવ મંદિર પર યાત્રાનું સમાપન કરાશે.

આ ઉપરાંત ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 21મી જાન્યુઆરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ 16 જેટલી જગ્યાએ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કલાકારો દ્વારા ભક્તિમય માહોલ બનાવવામાં આવશે. 22મી જાન્યુઆરીએ રાત્રે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યો દ્વારા તેમના વિસ્તારમાં પણ ડાયરાઓનું આયોજન કરાયું છે. જેમાં સાબરમતી વિસ્તારમાં રામનગર ચોક ખાતે લોકગાયિકા ગીતાબેન રબારીનો ડાયરો રાખવામાં આવ્યો છે. જ્યારે નારણપુરા અંકુર ચાર રસ્તા ખાતે રાજભા ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...