Thursday, January 22, 2026

આજથી અમદાવાદમાં રામમય માહોલ : નારણપુરા અને વેજલપુરમાં શોભાયાત્રા, ભવ્ય ડાયરાનું આયોજન

spot_img
Share

અમદાવાદ : ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થવાની છે જેને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યના વિવિધ શહેરોમાં ભગવાન રામના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ શોભાયાત્રા, સુંદરકાંડ, હવન અને ભવ્ય ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી ત્રણ દિવસ શહેરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમો શરૂ થયા છે.

અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શહેરમાં વિવિધ જગ્યાએ અનેક કાર્યક્રમોનું આયોજન હવે ત્રણ દિવસમાં યોજાઈ રહ્યો છે. ત્યારે આજે શહેરના વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રામરથ યાત્રાનું આયોજન ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા કરવામાં આવ્યું છે. 14×17 ફૂટની રામ ભગવાનની પ્રતિકૃતિ સાથે વેજલપુર વિસ્તારમાં ભવ્યયાત્રા બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી યોજાશે. જોધપુર ગામ, આનંદનગર, પ્રહલાદ નગર, જીવરાજ પાર્ક, મલાવ તળાવ સહિતના વિસ્તારોમાં આ યાત્રા ફરશે.

નારણપુરા વિસ્તારમાં 21 જાન્યુઆરીને સવારે 09.30 કલાકે, પ્રભુ શ્રીરામની નગર યાત્રા રેલીનું આયોજન હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન (હાર્ફ) દ્વારા કરવામાં આવ્યું છે. રામ ભગવાનની પ્રતિકૃતિ સાથે નારણપુરા વિસ્તારમાં ભવ્યયાત્રા સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી યોજાશે.આ નગરયાત્રા નારણપુરામાં આવેલ શાંતિનાથ મહાદેવ શાંતિ એપાર્ટમેન્ટ થી શરૂ થશે, આદર્શનગર, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, પ્રતીક્ષા એપાર્ટમેન્ટ, કાંકરિયા હનુમાનજી મંદિર(સોલા કોમ્પલેક્ષ), આસોપાલવ એપાર્ટમેન્ટના પંચદેવ મંદિર પર યાત્રાનું સમાપન કરાશે.

આ ઉપરાંત ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 21મી જાન્યુઆરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ 16 જેટલી જગ્યાએ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કલાકારો દ્વારા ભક્તિમય માહોલ બનાવવામાં આવશે. 22મી જાન્યુઆરીએ રાત્રે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યો દ્વારા તેમના વિસ્તારમાં પણ ડાયરાઓનું આયોજન કરાયું છે. જેમાં સાબરમતી વિસ્તારમાં રામનગર ચોક ખાતે લોકગાયિકા ગીતાબેન રબારીનો ડાયરો રાખવામાં આવ્યો છે. જ્યારે નારણપુરા અંકુર ચાર રસ્તા ખાતે રાજભા ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...