Wednesday, March 11, 2026

આજથી અમદાવાદમાં રામમય માહોલ : નારણપુરા અને વેજલપુરમાં શોભાયાત્રા, ભવ્ય ડાયરાનું આયોજન

spot_img
Share

અમદાવાદ : ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થવાની છે જેને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યના વિવિધ શહેરોમાં ભગવાન રામના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ શોભાયાત્રા, સુંદરકાંડ, હવન અને ભવ્ય ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી ત્રણ દિવસ શહેરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમો શરૂ થયા છે.

અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શહેરમાં વિવિધ જગ્યાએ અનેક કાર્યક્રમોનું આયોજન હવે ત્રણ દિવસમાં યોજાઈ રહ્યો છે. ત્યારે આજે શહેરના વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રામરથ યાત્રાનું આયોજન ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા કરવામાં આવ્યું છે. 14×17 ફૂટની રામ ભગવાનની પ્રતિકૃતિ સાથે વેજલપુર વિસ્તારમાં ભવ્યયાત્રા બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી યોજાશે. જોધપુર ગામ, આનંદનગર, પ્રહલાદ નગર, જીવરાજ પાર્ક, મલાવ તળાવ સહિતના વિસ્તારોમાં આ યાત્રા ફરશે.

નારણપુરા વિસ્તારમાં 21 જાન્યુઆરીને સવારે 09.30 કલાકે, પ્રભુ શ્રીરામની નગર યાત્રા રેલીનું આયોજન હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન (હાર્ફ) દ્વારા કરવામાં આવ્યું છે. રામ ભગવાનની પ્રતિકૃતિ સાથે નારણપુરા વિસ્તારમાં ભવ્યયાત્રા સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી યોજાશે.આ નગરયાત્રા નારણપુરામાં આવેલ શાંતિનાથ મહાદેવ શાંતિ એપાર્ટમેન્ટ થી શરૂ થશે, આદર્શનગર, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, પ્રતીક્ષા એપાર્ટમેન્ટ, કાંકરિયા હનુમાનજી મંદિર(સોલા કોમ્પલેક્ષ), આસોપાલવ એપાર્ટમેન્ટના પંચદેવ મંદિર પર યાત્રાનું સમાપન કરાશે.

આ ઉપરાંત ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 21મી જાન્યુઆરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ 16 જેટલી જગ્યાએ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કલાકારો દ્વારા ભક્તિમય માહોલ બનાવવામાં આવશે. 22મી જાન્યુઆરીએ રાત્રે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યો દ્વારા તેમના વિસ્તારમાં પણ ડાયરાઓનું આયોજન કરાયું છે. જેમાં સાબરમતી વિસ્તારમાં રામનગર ચોક ખાતે લોકગાયિકા ગીતાબેન રબારીનો ડાયરો રાખવામાં આવ્યો છે. જ્યારે નારણપુરા અંકુર ચાર રસ્તા ખાતે રાજભા ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...