Wednesday, March 4, 2026

રાણીપમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કહ્યું- જ્યારથી ચૂંટણી લડ્યા તેટલીવાર આ રામજી મંદિર આગળથી મેં શરૂઆત કરી હતી

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. દિવસભરના કાર્યક્રમો બાદ સાંજે રાણીપમાં યોજાયેલ રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં અમિત શાહે આજે હાજરી આપી હતી.અમિત શાહે કહ્યું હતું કે, જ્યારથી ચૂંટણી લડ્યા તેટલીવાર આ રાણીપના મંદિર આગળથી મેં શરૂઆત કરી હતી. રાણીપનું આ મંદિર અદભુત બનાવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રાણીપમાં યોજાયેલ રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે, જ્યારથી ચૂંટણી લડ્યા તેટલીવાર આ રાણીપના મંદિર આગળથી મેં શરૂઆત કરી હતી. રાણીપનું આ મંદિર અદભુત બનાવ્યું છે. તેમણે કહ્યું કે, 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે મોટું કામ PM મોદી દ્વારા કાલે પૂરું થયું. બાબર વખતે જે હૃદય પર ઘા લાગ્યો હતો તેને ટાંકા મારી દે એવું આ કામ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે ખૂબ પ્રગતિ કરી છે. પછી ભલે તે સુરક્ષા, આંતરિક સુરક્ષા, જી20, ચંદ્રયાન મિશનનું કામ હોય. તેમણે કહ્યું કે, ‘સોને કી ચીડિયા’ નામ હતું તે નરેન્દ્રભાઈ એ 10 વર્ષમાં તેનો પાયો નાખ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, કોંગ્રેસ વાળા એ મને જેલમાં પૂર્યો હતો પરંતુ, હું દિલ્હી જ રહ્યો ત્યારથી કોંગ્રેસ દેખાઈ નથી. તેમણે કહ્યું કે, બીજેપી સરકાર દરમિયાન સોમનાથ મંદિર, સોનાનું બનાવવાની શરૂઆત કરાઈ, બદ્રીધામ અને કેદારધામનું કામ પણ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, કોરોનામાં ભારતનું શું થશે ? એવું લોકો વિચારતા હતા. પરંતુ આપડે એવું કામ કર્યું કે વિશ્વના અન્ય દેશો પણ જોતા રહ્યા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...