Monday, January 26, 2026

AMC દ્વારા પાલડીનો અન્ડરબ્રિજ લોકાર્પણ બાદ બંધ કરી દેવાયા પછી પુનઃ શરૂ કરાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના પાલડી ચાર રસ્તાથી લો-ગાર્ડન તરફ જતાં રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ફાટકમુક્ત અભિયાન અંતર્ગત મેટ્રો રેલ પ્રોજેક્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલો અંડરપાસ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કર્યા બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. 15 દિવસ બાદ પાલડી જલારામ અંડરપાસ નાગરિકો માટે શરૂ કરવામાં આવ્યો છે. અંડરપાસ ચાલુ થતાની સાથે જ હવે રોજના એક લાખથી વધુ વાહનચાલકોને લાભ થશે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને દિશામાં જનારા લોકોને ફાયદો મળશે

AMCના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પાલડી ચાર રસ્તાથી લો-ગાર્ડન તરફ જતાં રોડ ઉપર જલારામ ક્રોસિંગ ખાતે બનાવાયેલાં અંડરપાસમાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે મુજબનો ઢાળ બનાવવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે યોગ્ય રીતે ઢાળ કરવા તેની ઉપર ડામર કટિંગ કરવાનું મેટ્રોના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ તેઓએ કર્યું નહોતું. અંડરપાસમાંથી પાલડી તરફ બહાર નીકળતા બંને તરફના રોડ ઉપર વાહનોની અવરજવરથી ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા થાય તેવું ધ્યાને આવતા રોડ પર ડિવાઇડર બનાવી અને યોગ્ય સર્કલ પણ બનાવી દેવામાં આવ્યું છે. રોડ પર ટ્રાફિક ન થાય તે રીતના આયોજન બાદ AMC દ્વારા ફરીથી અંડરપાસ શરૂ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...