Tuesday, March 3, 2026

શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ રોકવા ગાઈડલાઈન, યુનિ.નાં કુલપતિ કે સંસ્થાના વડા સામે પણ કાર્યવાહી કરાશે

spot_img
Share

અમદાવાદ : રાજ્યભરમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગના નિયમો અંગે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું હતું. સોગંદનામમાં એવી રજૂઆત કરાઈ છે કે, સરકારે દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત રેગિંગ કમિટીની રચના કરવા આદેશ આપી દેવામાં આવ્યો છેે. રેગિંગ બાબતે નવા ઘડેલા નિયમોમાં સરકારે ભોગ બનનાર સામે પણ નિયમો ઘડયા છે. હવે રેગિંગની ઘટનામાં રોકવામાં નિષ્ફળ રહેનારા સંસ્થાના વડા સામે પણ પગલાં લેવાનું નક્કી કરાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ એક કેસમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે યુનિવર્સિટી આ ગ્રાન્ટ કમિશન (UGC) અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા જારી કરાયેલા નિયમોના આધારે બહાર પાડવામાં આવે છે.

ગયા વર્ષે જાન્યુઆરીમાં એક અખબારમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગનો મામલો સામે આવ્યો હતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાઓ સાથે વ્યવહાર કરવા માટે એક SUO MOTO PIL ની સુનાવણી કરવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાઓ સામે લડવા માટે એક PILની સુનાવણી કરી રહી હતી. ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી મેડિકલ કોલેજોનો સવાલ છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI)ના નિયમોના આધારે સરકાર આગામી થોડા દિવસોમાં GR દાખલ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત શિક્ષણ વિભાગે 19 માર્ચના GR દ્વારા સંસ્થા, યુનિવર્સિટી, જિલ્લા અને રાજ્ય સ્તરે એન્ટિ-રેગિંગ સમિતિઓની રચના કરી છે. “ગંભીર વિચારણા કર્યા પછી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગને અંકુશમાં લેવા માટે, ગુજરાત સરકારે રાજ્યની ઉચ્ચ અને તકનીકી શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગના જોખમને રોકવા માટે નિયમો ઘડવાનું નક્કી કર્યું છે.’

ત્રિવેદીએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે યુનિવર્સિટીઓ અને ડીમ્ડ યુનિવર્સિટીઓ અને તમામ ટેકનિકલ સંસ્થાઓને રેગિંગને રોકવા માટે UGC અને AICTE નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સંસ્થા કક્ષાએ સજા | રેગિંગ કરનારાને બે વર્ષની જેલ, 10 હજારનો સુધીનો દંડ

-વર્ગો અને શૈક્ષણિક વિશેષાધિકારોમાં હાજરી આપવાનું સસ્પેન્શન.
-શિષ્યવૃત્તિ-ફેલોશિપ અનેે અન્ય લાભો રોકવા.
-કોઈ પણ કસોટી-પરીક્ષા અથવા અન્ય મૂલ્યાંકન પ્રક્રિયામાં હાજર રહેવા પર પ્રતિબંધ
-પરિણામો પર રોક અથવા પરિણામો રોકવા
-કોઈ પણ પ્રાદેશિક, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય મીટ, ટુર્નામેન્ટ, યુવા ઉત્સવ વગેરેમાં સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવા પર પ્રતિબંધ.
-એડમિશન રદ કરવુ, અથવા 1થી 4 સેમેસ્ટર માટે રસ્ટીકેશન.
-હોસ્ટેલમાંથી સસ્પેન્શન, હાંકી કાઢવા.
-સંસ્થામાંથી હાંકી કાઢવુ, ચોક્કસ સમયગાળા માટે અન્ય કોઈ પણ સંસ્થામાં પ્રવેશ પર પ્રતિબંધ.
-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રેગિંગ કરનાર, ભાગ લેનાર, પ્રોત્સાહન આપનારા વિદ્યાર્થીને બે વર્ષની મુદત માટે જેલની સજા કરાશે. 10,000 સુધીનો દંડ કરાશે.
-શૈક્ષણિક સંસ્થામાંથી બરતરફ કરાશે. બરતરફીના આદેશની તારીખથી પાંચ વર્ષ સુધી અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ નહી અપાય.
-યુનિવર્સિટી પર પણ કડક શિક્ષાત્મક પગલાઓ લેવાઈ શકે
-એન્ટી રેગિંગ કમિટીમાં ફ્રેશર્સનો પણ સમાવેશ કરાશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...