Saturday, February 7, 2026

અમદાવાદમાં ભાડાના મકાનમાં હજારો રૂપિયા ફી લેતી 5 હજાર પ્રી-પ્રાઇમરીમાંથી 80 ટકા શાળા બંધ કરાશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં લાખો રૂપિયા ફી લેતી પ્રી-પ્રાઈમરી શળાઓ બંધ કરાશે. ભાડાના મકાનમાં ચાલતી પ્રી-પ્રાઈમરી શાળાઓ પર સરકાર બાજ નજર રાખી રહી છે. સરકારના નિયમ મુજબ ભાડાના મકાનમાં ચાલતી પ્રી-પ્રાઈમરી પાસે 15 વર્ષનો રજીસ્ટર્ડ ભાડા કરાર હોવો જરૂરી છે. આ નિયમને કારણે 5 હજાર પ્રી-પ્રાઈમરીમાંથી 80% શાળાઓએ તાળા મારવા પડશે.

અમદાવાદ શહેરમાં લાખો રૂપિયા ફી લેતી ફ્રેન્ચાઈઝી મોડેલ, વ્યક્તિગત, ટ્રસ્ટ અને કંપનીધારા હેઠળ નોંધાયેલી અંદાજે 5 હજાર પ્રી-પ્રાઈમરી સ્કૂલ શાળાઓ બંધ કરાશે. મોટાભાગની સ્કૂલ નાના-મોટા બંગલામાં ચાલે છે અને કોઈપણ પ્રકારની નોંધણી કરાવેલી હોતી નથી. હવે સરકારે દરેક પ્રી-પ્રાઈમરી માટે 1 વર્ષમાં મંજૂરી લેવાની ફરજિયાત બનાવી છે. આ સમયગાળામાં મંજૂરી નહીં લેનારી પ્રી-પ્રાઈમરી બંધ કરવી પડશે. તમામ પ્રી-પ્રાઈમરી વાલીઓ પાસેથી 30 હજારથી માંડી રૂ.1 લાખ સુધીની ફી ઉઘરાવે છે, પણ મોટાભાગની ભાડાના મકાનમાં ચાલે છે. સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, ભાડાના મકાનમાં ચાલતી પ્રી-પ્રાઈમરી પાસે 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડાં કરાર હોવો જરૂરી છે. આ નિયમને લીધે અંદાજે 5 હજાર પ્રી-પ્રાઈમરીમાંથી 80 ટકાએ તાળાં મારવા પડશે. કારણ કે 15 વર્ષનો ભાડાં કરાર કરવા પ્રોપર્ટી માલિકો તૈયાર નથી.

સરકારે મંજૂરી ફરજીયાત બનાવ્યા પછી અમદાવાદ શહેરમાંથી માત્ર 6 અરજીઓ આવી હતી. જેમાંથી 1ને મંજૂરી અપાઈ છે. બેની અરજી ફગાવી દેવામાં આવી છે.અને 3 અરજી પડતર છે. 30 હજારથી 1 લાખ રૂપિયા ફી લેતી શાળાઓને માઠી અસર થશે.

મંજૂરી ફરજીયાત માટે નિયમો…

-પ્રત્યેક વર્ગદીઠ સરકારને રૂપિયા 5 હજાર ફી ચૂકવવાની રહેશે
-વ્યક્તિગત માલિકીની પ્રી-પ્રાઈમરીનું રજિસ્ટ્રેશન નહીં થાય.
-હાલ પ્રી-પ્રાઈમરી ચલાવતા પ્રાથમિક સ્કૂલના સંચાલકોએ પણ પ્રી-પ્રાઈમરી માટે સરકારની મંજૂરી મેળવવી ફરજિયાત છે.
-પ્રત્યેક પ્રી-પ્રાઈમરીએ વર્ગદીઠ 5 હજાર ફી ભરવાની રહેશે.
-ભાડાંના મકાનમાં ચાલતી હોય તો 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડાં કરાર ફરજિયાત કરાયો છે, આવો કરાર નહીં હોય તો મંજૂરી નહીં.
-દરેક બિલ્ડિંગ પાસે ફાયરસેફ્ટી ડેકલેરેશન કે ફાયર એનઓસી હોવું જોઈએ.
-જે મકાનમાં પ્રી-પ્રાઈમરી ચાલતી હોય તેની બીયુ પરમિશન જરૂરી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...