Wednesday, March 11, 2026

મેટ્રોમાં મુસાફરી કરનારા માટે ગુડ ન્યુઝ, અમદાવાદના આ 4 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની સુવિધા ઉભી કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરનાર લોકોની સંખ્યા વધતી જાય છે, જો કે મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોને સ્ટેશન સુધી પહોંચ્યા બાદ પોતાનું વાહન પાર્ક કરવાની સમસ્યા આવે છે. એક અંદાજ મુજબ અમદાવાદના માત્ર 4 જેટલા મેટ્રો સ્ટેશનમાં જ પાર્કિંગની સુવિધા છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી)એ મ્યુનિ. પાસેથી 4 સ્ટેશનો માટે 6 પાર્કિંગ પ્લોટની માગણી કરી છે. કોર્પોરેશન ટૂંક સમયમાં આ પ્લોટના માલિકીની માહિતી એકઠી કરી આ પ્લોટ અંગે નિર્ણય લેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદીઓ માટે મેટ્રો ટ્રેન સેવા વધુ સુવિધાજનક બનવા જઈ રહી છે. હાલમાં અમદાવાદના માત્ર 4 જેટલા મેટ્રો સ્ટેશનમાં જ પાર્કિંગની સુવિધા છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ મ્યુનિ. પાસેથી 4 સ્ટેશનો માટે 6 પાર્કિંગ પ્લોટની માગણી કરી છે.અને નવા 4 સ્ટેશનો માટે પાર્કિંગની સુવિધા ઉભી કરવા જઈ રહ્યું છે. જેમાં ગુરુકુળ, થલતેજ ગામમાં બે-બે પાર્કિંગ પ્લોટની માગ કરાઈ છે.સરકારની પોલિસી પ્રમાણે કોર્પોરેશન મેટ્રો પાસેથી પાર્કિંગ પ્લોટ માટેનો ટોકન ચાર્જ વસૂલશે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ પહેલા મ્યુનિ.ના અધિકારીઓએ મેટ્રોના બંને રૂટ પર એક વિઝિટ કરી હતી. જ્યાં સ્ટેશનની આસપાસ પાર્કિંગ પ્લોટની ફાળવણીની શક્યતા વિશે ચકાસણી કરી હતી, પરંતુ જે-તે સમયે અધિકારીઓ દ્વારા પાર્કિંગ પ્લોટની ફાળવણી અંગે અંતિમ નિર્ણય લેવાયો ન હતો. જોકે હવે મેટ્રો દ્વારા સત્તાવાર રીતે શહેરનાં સ્ટેશનો માટે પાર્કિંગ પ્લોટની માગ કરાઈ છે.

સ્ટેશન સ્ટેશનથીઅંતર
એપરલ પાર્ક 50 મીટર
ગુરુકુળ રોડ પ્રવેશ-નિકાસની જગ્યાએ
થલતેજ 50 મીટર
થલતેજ ગામ 50 મીટર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...